Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોરબંદરની દરિયાઈ સીમામાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઘૂસડતા 9 ઝડપાયા

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (12:57 IST)
દેશમાં ગુજરાતની દરિયાઈ સીમા અંગે અનેકવાર અવનવા તર્કવિતર્કો તથા રહે છે. અહીંથી પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અથવા તો કોઈ ઘૂસણખોરી કરતો શખ્શ પણ પકડાવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે. ત્યારે હવે એક નવી બાબત અહીં પ્રકાશમાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાતમાં ઘૂસાડાતાં કરોડના ડ્રગ્સ કૌભાંડનો પદાર્ફાશ થયો છે. 
ગુજરાતની દરિયાઈ જળસીમા પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું. આશરે 500 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું. 
એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ માફિયાની પુછપરછ શરૂ કરી છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ મોકલાયું હતું. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી છે. 
આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. એટીએસ તરફથી બહુ ઝડપથી આ વાતનો ખુલાસો કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ માફિયા રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન આવે તે માટે માફિયાઓએ પોતાની બોટને ઉડાવી દીધી હતી. ગુજરાતી એટીએસ અને ઇન્ડિયા કોસ્ટગાર્ડની ટ્રેપમાં ફસાયા બાદ પુરાવાનો નાશ કરવા માટે માફિયાઓએ બોટને ઉડાવી દીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments