Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોટાઉદેપુરના જૈન મુનિ મહારાજનો લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (12:59 IST)
આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને છોટાઉદેપુર પંથકમાં આદિવાસીઓના પ્રશ્નો માટે ઝઝૂમતા રહેતા જૈન મુનિ ડો. રાજેન્દ્ર વિજય ગની મહારાજ દ્વારા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. રાઠવા જાતીના ચાલી રહેલા વિવાદમાં આગેવાનીમાં લેનાર જૈન મુનિના રાજકારણમાં પ્રવેશના નિર્ણય થી પૂર્વ પટ્ટીમાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર હવે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી તૈયારી ચાલી રહી છે. તેવામાં છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપરથી એક જૈન મુનિ મહારાજે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય ક્ષેત્રે હલચલ શરૂ થઈ છે. 
આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન સંત બનેલા ડૉ. રાજેન્દ્ર વિજય ગની મહારાજે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના ઉચ્ચ નેતાઓ સંપર્ક કરતા હોવાનો દાવો કર્યો છે. આદિવાસી માટે અનામત છોટાઉદેપુર બેઠક ઉપર હાલ ભાજપના રામસિંગ રાઠવા સાંસદ છે. સંત મુનિ મહારાજ ઘણા વર્ષોથી વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને વ્યસન મુક્તિની પ્રવૃતિઓ કરે છે તો રાઠવા જાતિના દાખલા મુદ્દે મહારાજ ની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું છે. તમામ રાજકીય પક્ષ ના મોટા નેતાઓ સાથે નિકટના સબંધ ધરાવતાં જૈન મહારાજે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ચૂંટણી લડવા થનગની રહેલા ભાજપ કોંગ્રેસના ઈચ્છુક નેતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ આદિવાસીઓના વિવિધ મુદ્દાઓ અંગે મહેનત કરવી પડતી હોય છે. તેનું મૂલ્યાંકન નથી થતુ. હવે સ્થીતીને મૂલ્યવાન બનાવવા માટે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. યોગી આદીત્યનાથજી સંત હતી, જો કે, તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવ્યા હતા. આદિવાસી સમાજમાંથી કોઇ સંત રાજકારણમાં આવ્યા નથી. એક આધ્યાત્મિક મર્યાદાઓને ધ્યાનમાં લઇને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જો કે, આખરી ફેસલો તો સમાજના લોકોએ જ લેવાનો રહેશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments