Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નિવેદનથી બળતામાં ઘી હોમાયું ઠાકોરો ભડક્યાં

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:25 IST)
સાબરકાંઠામાં ૧૪ માસની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરાયા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. પરપ્રાંતીયો પર થતા હુમલાઓ થવાની ઘટનાઓ હજુ શમી નથી ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવુ નિવેદન કર્યુ છેકે, પરપ્રાંતીયો પર થતાં હુમલામાં ઠાકોર સેના અને તેના આગેવાનોની મૂખ્ય ભૂમિકા છે જેના કારણે બળતાંમાં ઘી ઉમેરાયુ છે. રાજકીય નિવેદન કરી જાણે નાયબ મુખ્યમંત્રીએ ઠાકોરોને ઉશ્કેર્યા છે. ગઇકાલે નિતીન પટેલે એવુ નિવેદન કર્યુંકે,ઠાકોર સેના એલાન આપે,કાર્યકરો આંદોલન કરે,અને પરપ્રાંતીયોને ધમકી આપે જેનો મતલબ સાફ છેકે, ઠાકોરસેનાના આગેવાનો સંડોવાયેલા છે અને સીધી ભૂમિકા છે. લોકોમાં ચર્ચા છેકે, પાટીદાર આંદોલનને યુ ટર્ન આપવા નાયબ મુખ્યમંત્રીને જ જાણે ઠાકોરેને ઉશ્કેરવામાં રસ જાગ્યો હતો જેના કારણે તેમણે આવુ નિવેદન કર્યુ હતું. સોશિયલ મિડિયામાં ય નિતીન પટેલના આ નિવેદન વાયરલ થયુ છે પરિણામે ઠાકોર યુવાઓ નાયબ મુખ્યમંત્રી પર ભડ્ક્યા છે. નોંધ લેવા જેવી વાત એ છેકે, આ નિવેદન બાદ આજે અમદાવાદ સહિત રાજ્યમાં પાંચ-છ સ્થળો તોડફોડની ઘટના બની છે

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments