Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમા સી પ્લેન થશે શરૂ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાલિતાણાની મુસાફરી થશે

Webdunia
બુધવાર, 24 જૂન 2020 (14:19 IST)
ગુજરાતમાં હવે સામાન્ય માણસ પણ સી પ્લેનમાં બેસીને મુસાફરી કરી શકશે. આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સી પ્લેનથી મુસાફરી કરી શકશો. ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે સૌપ્રથમવાર પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે આટલા સમય બાદ અમદાવાદમાં સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે જણાવતા કહ્યું છે કે, સી પ્લેનનો ટુરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુથી પીએમ મોદીના નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત 16 રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરાશે. ગુજરાતમાં 2 રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.તેમણે વધુમાં જણાવ્યું કે, સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, ઓક્ટોબર સુધી ગુજરાતમાં યાત્રાળુઓ માટે સાબરમતીથી સિપ્લેન યોજના શરૂ કરવામાં આવશે.સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 200 કિમિની યોજના તો સાબરમતીથી પાલીતાણા 250 કિમિની યોજના રહેશે. હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પુરૂં થયુ છે આવનારા 10થી 15 દિવસમાં જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે. એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઉભું કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments