Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાણંદમાં ભારતની સૌથી મોટી જાપાનીઝ ડાયપર કંપની યુનિચાર્મમાં આગ લાગી

સાણંદમાં ભારતની સૌથી મોટી જાપાનીઝ ડાયપર કંપની યુનિચાર્મમાં આગ લાગી
Webdunia
બુધવાર, 24 જૂન 2020 (13:16 IST)
સાણંદ GIDCમાં આજે સવારે જાપાનની યુનિચાર્મ ઇન્ડિયા નામની ડાયપરની સૌથી મોટી જાપાની કંપનીમાં આગ લાગી હતી. સવારે કોઈ કારણસર આગ લાગતા ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી.   યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 20 ફાયર ફાઇટર મોકલાયા હતા. હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા. સેનિટરી નેપકિન બનાવતી જાપાનની યુનિચાર્મ ઇન્ડિયાએ વર્ષ 2018માં ગુજરાતમાં સાણંદ ખાતે ભારતનો તેનો બીજો પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપનીનો એક પ્લાન્ટ આંધ્રપ્રદેશમાં આવેલો છે. સાણંદ પ્લાન્ટ 3 લાખ સ્ક્વેર મીટરમાં પથરાયેલા આ પ્લાન્ટમાં આશરે 1700-1800 લોકો કામ કરે છે. આ પ્લાન્ટમાં સોફી બ્રાંડ હેઠળ સેનિટરી નેપકિનનું ઉત્પાદન થાય છે. તેમજ બાળકો માટેના ડાયપરનું પ્રોડક્શન પણ અહી થાય છે. આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું  કે, આગ ખૂબ મોટી છે. AMC અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 થી 20 જેટલા ફાયરના વાહનો મોકલવામાં આવ્યા છે. હજી આગ પર કાબુ આવ્યો નથી પણ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય. સવારે સવા નવ વાગ્યે સાણંદ GIDCના ગેટ નંબોર 2 પાસે આવેલી યુનિચાર્મ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  જેમાં 3 ફાયર ફાઈટર, 9 પાણીના ટેન્કર, 11 વોટર બોવર્સ, 1 સ્મોક એક્ઝોસ્ટર અને ઓફિસરના 6 વાહનો મળી કુલ 31 વાહનો સાથે ફાયર બ્રિગેડનો 125નો સ્ટાફ દોડી ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments