Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂપેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, નિતીન પટેલની નારાજગી વિધાનસભામાં સરકારને ભારે પડે તેવી ચર્ચા

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:33 IST)
કમુરતામાં કોઇ શુભ કાર્યો થતાં નથી. ખાતાની ફાળવણીમાં ખેંચતાણ થતાં ભાજપમાં ડખા થયાં છે. મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતાં ધારાસભ્યોએ રાજીનામાની ય ચિમકી આપવા માંડી છે. આ બધુય જોતાં એવી ચર્ચા ચાલી રહી છેકે, કમુરતામાં શપથવિધી થતાં ભાજપને આ વખતે ફળશે કે કેમ તે સવાલ છે. ૧૬મી ડિસેમ્બરથી કમુરતા શરૃ થયા છે.ખાતાની ફાળવણીએ ભાજપમાં અદરોઅંદર અસંતોષ ભભૂકી રહ્યો છે તેવો સંદેશો વહેતો કર્યો છે જેથી ખુદ ભાજપના જ કાર્યકરો હવે કમુરતાને જવાબદાર ઠેરવી રહ્યાં છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પસંદગીના ખાતા ન મળતાં અંદરખાને નારાજ છે. આ ત્રણેય મંત્રીઓની નારાજગી ભાજપ સરકારને વિધાનસભાના સત્ર વખતે ભારે પડી શકે છે. કોંગ્રેસ જયારે પણ ભાજપ સરકારને ઘેરે ત્યારે આ મંત્રીઓ ભાજપના બચાવમાં ઉતર છે. આ વખતે અલ્પેશ ઠાકોર,જીજ્ઞેશ મેવાણી,પરેશ ધાનાણી જેવા યુવા અને આક્રમક કોંગ્રેસી ધારાસભ્યો ચૂંટાયા છે જેના પગલે વિધાનસભામાં વિપક્ષનો લડાયક મૂડ જોવા મળશે. હવે જો કોંગ્રેસ સરકારને ઘેરશે અને આ મંત્રીઓ કુણુ વલણ અપવાવશે તો,ભાજપની મુશ્કેલી વધી શકે છે.ઉલ્લેખનીય છેકે, આ વખતે કોંગ્રેસનુ સંખ્યાબળ પણ વધ્યુ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments