rashifal-2026

ગુજરાતમાં ૧.૮૨ લાખ હેક્ટરમાં લસણનું વાવેતર

Webdunia
બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:50 IST)
ગુજરાતમાં લસણનો વપરાશ વધતા લસણનું વાવેતર પણ વધ્યું છે. હાથ ધરાયેલા સર્વે મુજબ ગુજરાતમાં ૨૦૧૧થી ૨૦૧૬ દરમિયાન ૮૬,૦૦૦ હેક્ટર જમીનમાં લસણનું વાવેતર થતું હતું જેની તુલનામાં ૨૦૧૭ના ચાલુ વર્ષે ૧.૮૨ લાખ હેક્ટરમાં લસણનું વાવેતર થયું છે. જે મુજબ લસણના વાવેતરમાં ૧૧૧ ટકાનો વધારો નોંધાયો છે. બીજા પાકની સરખામણીમાં લસણમાં પાણીનો વપરાશ ઓછો થાય છે અને લસણની ઉત્પાદન ક્ષમતા જીરા અને ધાણાની જેમ જ વધારે હોય છે. જેથી લસણનું વાવેતર ખેડૂતો માટે પણ લાભકારક રહે છે. કૃષિ ઉત્પાદક અધિકારીના જણાવ્યા મુજબ પાછલા પાંચ વર્ષ દરમિયાન જેટલા હેક્ટરમાં પાકનું વાવેતર થયું હોય તેનો સરેરાશને નોર્મલ સોઇંગ એરિયા કહેવામાં આવે છે. જે દૃષ્ટિએ લસણનો નોર્મલ સોઇંગ એરિયા ૮૬૦૦૦ હેક્ટર જમીન નોંધાયો છે. ગુજરાતમાં લસણનું અધિકતમ ઉત્પાદન સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધક શ્રી એમ. એ. વડોદરિયાએ જણાવ્યું હતું કે હોટલ ઇન્ડસ્ટ્રી અને ઘર વપરાશ ક્ષેત્રે લસણની માગમાં ૧૫ ટકા વધારો નોંધાયો છે. લસણની ખેતી સહેલી છે અને લસણની ખેતીના અન્ય પાકની સરખામણીમાં સસ્તી પણ નીવડે છે. એક હેક્ટરમાં લગભગ ૭થી ૧૦ ટન લસણનું ઉત્પાદન થાય છે. ફ્રૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે સંકળાયેલા અગ્રણીના જણાવ્યા મુજબ હોટેલ, ઘર ઉપરાંત આયુર્વેદિક દવાના ક્ષેત્રે પણ લસણનો વપરાશ વધ્યો છે. આરોગ્ય અંગે લોકો લસણના ફાયદા સ્વીકારીને લસણને વધુ પ્રમાણમાં વાપરતાં થયા છે. સૌરાષ્ટ્રના એક ખેડૂતે જણાવ્યું હતું કે લસણને ઓછું પાણી જોઈએ છે. ત્રણથી ચાર સિંચાઈમાં લસણની ખેતી સહેલાઈથી થઈ શકે છે માટે ખેડૂતો લસણની ખેતી વધુ પસંદ કરતાં હોય છે. યુવા વર્ગમાં ચાઇનીઝ અને પંજાબી ફુડની લોકપ્રિયતાએ પણ લસણની માગ વધારી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments