Dharma Sangrah

ખેડૂતો પાસેથી વીમાના પ્રિમિયમના ૮૦૦ કરોડ વસૂલાયા પણ નુકસાનીનું વળતર ન મળ્યું - કોંગ્રેસના કુંવરજી બાવળીયા

Webdunia
બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:48 IST)
રાજકોટ જિલ્લામાં ગત વર્ષે પાકવીમા પ્રિમિયમના ખેડૂતો પાસેથી રૂ. ૮૦૦ કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા પણ કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને હજુ સુધી પાક વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. આથી જસદણના કૉંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ ખેડૂતોને પાકવીમાની રકમ નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી આપી છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે વરસાદ નબળો પડ્યો હતો. કેટલાય ગામો અછત-અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. આખાય જિલ્લામાંથી સરકારે ખેડૂતો પાસેથી ૫૫૦ કરોડ રૂપિયા મગફળી પ્રિમિયમના અને ૨૫૦ કરોડ જે કપાસના પ્રિમિયમની રકમ મળી કુલ ૮૦૦ કરોડની રકમ ખેડૂતો પાસેથી વસૂલ કર્યા હતા. કપાસ અને મગફળીનાં પ્રિમિયમની કુલ ૮૦૦ કરોડ પ્રિમિયમ પેટે પૈકીનાં ખેડૂતના તેમ જ સરકાર પાસેથી મગફળીના ૪૪ ટકા લેખે અને ૨૫ ટકા લેખે કપાસના પ્રિમિયમ પેટે વસૂલ્યા હતા. આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી મોડેથી મગફળીનાં પાકવીમાની રકમ શૂન્ય ટકાથી કરી ૧૬ ટકા સુધી પાકવીમાની રકમ ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોવાનું ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ગત વર્ષ ૨૦૧૬-૧૭ના કપાસના ખરીફ પાક જેની ખેડૂતો પાસેથી આવડી મોટી રકમ પ્રિમિયમ પેટે વસૂલ કર્યા પછી રાજકોટ જિલ્લામાં ચુકવવાના થતા પાકવીમાની રકમ આજેય રાજ્ય સરકાર કોઈ નોંધ લેતી નથી. તેનો આજ દિવસ સુધી વીમા ચુકવણા અંગેના હિસાબો પણ થયા નથી. ભૂતકાળમાં યુપીએની કેન્દ્ર સરકાર હસ્તકની સરકારી કંપની મારફતે પાકવીમાની પ્રક્રિયા કરવામાં આવતી અને સમયસર ચૂકવણું કરવામાં આવતું હતું. ત્યાર બાદ આ ચાલુ સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ના રૂપકડા નામ હેઠળ આ પાકવીમાની પ્રક્રિયા ખાનગી ચાર કંપનીઓને સોંપી દેતા આ કંપનીઓની દાંડાઈ અને નફો મેળવવાના વલણને કારણે અને કયાંક સરકારની મિલિભગતને કારણે ખેડૂતોને પાકવીમામાં નુકશાન થઈ રહ્યું છે અને લાંબો સમય થવા છતાં પણ કપાસનાં પાકવીમાનું હજુ ચુકવણું કરવામાં આવ્યું નથી. ૨૦૧૬-૧૭ના ખરીફ કપાસના પાકવીમાની રકમ જે ૨૫૦ કરોડ જેવી ચુકવવાની થાય છે તે વહેલી તકે ચુકવાય તેવી માંગણી છે. જો તેમ કરવામાં નહીં આવે તો ખેડૂતોની કપાસ પાકવીમા અંગે જાગૃત કરી આંદાલન કરવાની ફરજ પડશે. તેમ કુંવરજી બાવળિયાએ અંતમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments