Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 10 અને 12ની પરીક્ષા 10મી મે ની આસપાસ લેવાય તેવી શક્યતા

Webdunia
શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (11:54 IST)
ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ10 અને 12ની સ્કૂલો શરૂ કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે,જયારે બોર્ડની 10 અને 12 ની પરીક્ષા ની જાહેરાત આવતા અઠવાડિયામાં થઈ શકે છે, બોર્ડની પરીક્ષા 10 મે ની આસપાસથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
 
 આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 10.05 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.30 લાખ અને વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે તેવું શિક્ષણ બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યા છે,અગાઉ શિક્ષણ બોર્ડે અભ્યાસ ક્રમમાં 30 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો અને તે મુજબ પરીક્ષાની પેટર્નમાં પણ ધરખમ ફેરફાર કર્યો હતો. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવે છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીના કારણે પાછી ઠેલાઈ છે.
આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે પરીક્ષા કેંદ્રોની સંખ્યા 5,500થી વધારીને 6,700 કરવામાં આવશે. પરિણામે પરીક્ષા ખંડોની સંખ્યા પણ 60,000થી વધીને 75,000 થશે. આશરે 60 ટકા પરીક્ષા કેંદ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે.
પરીક્ષાની નવી પેટર્ન પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 50% ગુણભાર ઓ.એમ.આર. પ્રશ્નોનો અને 50% ગુણભાર લાંબા સવાલોના જવાબનો રહેશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો ગુણભાર 30% થશે,જે અગાઉ 20 ટકા હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments