Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાનુભાઈના મોતથી ભડક્યા દલિત, લાશ લેવાનો કર્યો ઈંકાર, હાઈવે પર ચક્કાજામ

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (16:45 IST)
દલિતોને સરકાર તરફથી આપવામાં આવેલ જમીનના કબજાની માંગને લઈને આત્મદાહ કરનારા દલિત સામાજીક કાર્યકર્તા ભાનુભાઈ વણકરનું મોડી રાત્રે મોત થતા ભડકેલા સમાજે રાજ્યમાં અનેક સ્થાન પર પ્રદર્શન કર્યુ. હાઈવે પર જુદા જુદા સ્થાન પર ચક્કાજામ કરી દીધો.  નેતા વિપક્ષ પરેશ ધાનાની, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે સરકારને દલિત વિરોધી બતાવતા આડે હાથે લીધા તો બીજી બાજુ પીડિત પરિવારે ન્યાય ન મળવા સુધી તેમનુ શબ લેવાની ના પાડી દીધી. 
 
અત્ર એ ઉલ્લેખનીય છે કે  જમીન વિવાદને લઇને પાટણ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
 
ઘટનાને પગલે અલગ અલગ સંગઠનોએ આજે ઉંઝા, પાટણ અને શંખેશ્નર બંધનું એલાન આપ્યું હતું. કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બે દિવસ પહેલા ભાનુભાઈ વણકરે પાટણ કલેક્ટર કચેરી બહાર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં અમદાવાદમાં એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments