Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપાણી સરકારનો આ નિર્ણય રાજકોટવાસીઓનો ઉનાળો સુધારી દેશે

Webdunia
શનિવાર, 10 માર્ચ 2018 (13:12 IST)
રાજકોટ માટે  સરકારે  નર્મદાનું વધારાનું પાણી આપવા માટે નિર્ણય કર્યો છે જેને લઈને હવે આજી ડેમમાં 15 દિવસ સુધીમાં 500 MCFT પાણી ઠાલવાશે. હાલ આજી ડેમમાં માર્ચ મહિના સુધીનું જ પાણી છે ત્યારે નર્મદાનું વધારાનું પાણી મળતા પીવાના પાણીનું સંકટ ટળશે અને પાણીકાપનો બોજ પણ પ્રજા પર નહીં આવે. આ સિવાય કોઇ ટેકનીકલ ક્ષતિઓ નહીં સર્જાય તો 700 એમસીએફટી પાણી 25 દિવસ સુધી ઠલવાશે. તેના લીધે રોજ નવા નીર આજીમાં ઠલવાશે. હાલ માર્ચ મહિના સુધી જ પાણીનો જથ્થો છે.

આ પાણી આવવાથી પીવાના પાણીનું સંકટ ટળે અને પાણીકાપનો બોજ પણ પ્રજા પર નહીં આવે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ છે. રાજકોટ મહાનગરપાલિકાએ બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણી માગ્યું હતું. સિંચાઇ વિભાગે જો કે 1700ને બદલે 2000 કરોડ લિટર પાણી માગ્યું છે. નર્મદાનીર રાજકોટ સુધી પહોંચે એ દરમિયાન પાઇપમાં ભરાવો તેમજ પહોંચ્યા બાદ સીધુ જમીનમાં ઉતરી જવું એ બધા મુદ્દાને ધ્યાને લઇને મનપાએ માંગેલા પૂરા જથ્થા માટે વધુ પાણી માગવામાં આવ્યું છે. રાજકોટ અને કચ્છના લોકોને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે નર્મદાના પાણીથી બન્ને ડેમ ભરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. રાજકોટમાં તો શનિવારે બપોર સુધીમાં જ નર્મદા નીરનું આગમન થઈ જશે જ્યારે કચ્છનો ટપ્પર ડેમ પણ નર્મદાના નીરથી ભરી દેવાશે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments