Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગેનીબેને સંસદમાં મુદ્દો ઉઠાવ્યોઃ ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવી રહ્યો છે

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2024 (19:03 IST)
ganiben
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપની હેટ્રિક અટકાવી છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને સંસદમાં એન્ટ્રી મેળવી છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લેવા માટેની રજૂઆત કરી હતી.
 
ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે
લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં વકરી રહેલા ચાંદીપુરા વાયરસને જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ વાત કરી હતી. લોકસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. 
 
ચાંદીપુરા બાળકોને શિકાર બનાવી રહ્યો છે
આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે. ગેનીબેને કહ્યું કે, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે. આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકોને શિકાર બનાવી રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. તેને ગંભીરતાથી નોંધ નહીં લેવામાં આવે તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

આગળનો લેખ
Show comments