Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

Webdunia
મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (11:04 IST)
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું સોમવારે નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે એક સાંસદ અને રાજ્યપાલ તરીકે તેમણે લોક કલ્યાણના મુદ્દાઓ પર કામ કર્યું. ભાજપના નેતા તરીકે તેમના યોગદાનને પણ યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

<

Saddened by the passing away of Shri OP Kohli Ji. He played a key role in strengthening our Party in Delhi. As MP and Governor, he focused on issues of public welfare. He was also passionate about the education sector. My thoughts are with his family. Om Shanti. pic.twitter.com/s6OO0mrkGZ

— Narendra Modi (@narendramodi) February 20, 2023 >
 
ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું સોમવારે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. નોઈડાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
 
તો બીજી તરફ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલને તેમના સ્વયંસ્ફુરિત વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
 
ઓપી કોહલીના પૌત્રી કર્નિકાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારા દાદા ઓમપ્રકાશ કોહલી, ભૂતપર્વ ગર્વનર ગુજરાત અને રાજ્યસભા સાંસદનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે નવી દિલ્હીમાં નિગમબોધ ઘાટ થશે.
 
ઓપી કોહલી કટોકટીમાં જેલવાસ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમપ્રકાશ કોહલીએ વર્ષ 1999થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVPના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેઓ 2014 થી 2019 સુધી ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments