Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટરના ભોજનાલય સહિત 58 એકમો પાસે ફાયર NOC નથી

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (13:28 IST)
અમદાવાદ આગની ઘટનાને પગલે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ તપાસનો ધમધમાટ ચલાવાયો છે. ત્યારે શહેરમાં શનિવાર અને રવિવારના 2 દિવસમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, જીમ અને બિલ્ડિંગ સહિતના 68 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં માત્ર 10 એકમો પાસે જ ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા સે-11 ખાતેની 5 બિલ્ડિંગમાં પણ ચેકિંગ કરાયું હતું, જેમાં વિજય કોમ્પલેક્ષ, મેઘ મલ્હાર, હવેલી આર્કેડમાં એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત રાધે સ્વીટમાર્ટ તથા ડોમિનોઝ સહિતની 6 ખાણીપીણીની દુકાન-હોટેલોમાં પણ એનઓસી ન હતું. બીજી તરફ સે-6 ખાતે ઈસ્કોન ગાંઠીયા, કાઠીયાવાડી હોટેલ, તેમજ ઈન્ફોસિટીમાં 16 એકમોની તપાસ કરાઈ જેમાં એકેય પાસે ફાયર એનઓસી મળ્યું ન હતું. સે-16 ખાતે આવેલી 9 હોટેલ ચેકિંગ કરતાં 3 પાસે એનઓસી મળ્યું હતું જ્યારે હોટેલ ગ્રીનએપલ, મેરીગોલ્ડ, પૂર્ણીમા, દાદીસા, આદર્શ, ઓનેસ્ટ હોટેલ ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું સામે આવ્યું હતું બીજી તરફ સે-21 ખાતે 5માં ચેકિંગ કરતાં સત્તાધારા રેસ્ટોરન્ટ, પૂજા પાર્લર, રાધે સ્વિટમાર્ટમાં જ્યારે સે-28 ખાતે 2 રેસ્ટોરન્ટમાં, સચિવાલય મીના બજારમાં સર્વોદય ભોજનાલય પાસે એનઓસી ન હતું. પથીકાશ્રમ પાછળ આવેલા 5 ઢાબા પર દબાણમાં ચાલતા હોવાથી ફાયર એનઓસીનો સવાલ જ ઉભો થતો નથી. જ્યારે સે-21માં ધારાસભ્યોના ક્વાટર્સ ખાતે આવેલા સદસ્ય ભોજનાલય તથા સૌરાષ્ટ્ર ફરસાણ અને હોટેલ હેવેનમાં એનઓસી લેવાયું નથી. કોલવડા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ બાદ સે-22 ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પણ ફાયર એનઓસી ન હતું. બીજી તરફ સે-19 અને 21માં આવેલા સરકારી જીમખાન સહિત 11,27, 24, સરગાસણમાં કુલ 9 જીમમાંથી એકેય પાસે એનઓસી મળ્યું ન હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments