Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરી બનાસકાંઠાની ધરા ધ્રૂજી, વહેલી સવારે અનુભવાયો ભૂકંપ

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (09:07 IST)
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સાથે રાજસ્થાનની સીમા પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલનપુરમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. સવારે 3.46 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. વહેલી સવારે ભૂકંપ અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પાલનપુરથી 61 કિમી તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ  પાલનપુરમાં સાંજનાં સમયે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દુર નોંધાયું હતું. ભૂકંપના આંચકા પાલનપુર સહિતનાં આસપાસના ગામડાઓમાં પણ અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઇ નુક્સાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
મહત્વની બાબત એ છે કે, ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું ત્યારે વધુ એક ભૂકંપના આંચકાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકા ગ્રામીણ વિસ્તારોમાં પણ અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.  ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ પાલનપુર અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
 
બીજી તરફ દિલ્હીના ઉત્તરી ક્ષેત્રમાં 48 કિમી દોર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એએનઆઇના અનુસાર મંગળવારે રાત્રે લગભગ 10 વાગે ભૂકંપનો આંચકો અનુભવાઓ હતો. જોકે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 2.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ભૂકંપ પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે 29.05 અક્ષાંશ અને 77.20 દેશાંતર પર કેંદ્રીત હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments