Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકા “દિપોત્સવી ઉત્સવ” દરમ્યાન દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:30 IST)
વહીવટદાર દ્વારકાધીશ જગત મંદીર અને પ્રાંત અધિકારી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દિપાવલી – નૂતન વર્ષ ઉત્સવ અન્વયે તા.૨-૧૧-૨૦૨૧ થી તા.૬-૧૧-૨૦૨૧ દરમિયાન “દિપોત્સવી ઉત્સવ” અંતર્ગત શ્રી દ્વારકાધીશ મંદીર – દ્વારકા દર્શનાર્થીઓ માટે તા.૨જી અને ૩જી નવેમ્બર - ૨૦૨૧ને વાઘબાર તથા ધનતેરશ(રૂપચૌદશ ક્ષય તિથી)ના રોજ શ્રીના દર્શન માટે નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે.
 
આ ઉપરાંત તા.૪-૧૧-૨૦૨૧ને ગુરુવારના રોજ દિપાવલીના દિવસે દર્શાનાર્થીઓ માટે શ્રી દ્વારકાધીશ જગત મંદીર શ્રીજીના દર્શન માટે નિત્યક્રમ મુજબ (અનોસર (મંદીર બંધ) બપોરે ૧-૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫-૦૦ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮-૦૦ કલાકે તેમજ અનોસર (મંદીર બંધ) રાત્રે ૯-૪૫ કલાકે) રહેશે. જ્યારે તા.૫-૧૧-૨૦૨૧ના રોજ શુક્રવારના દિવસે નૂતન વર્ષ અન્નકુટ ઉત્સવ દરમ્યાન સવારે ૬-૦૦ કલાકે મંગલા આરતી તથા અન્નકુટ દર્શન સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક સુધી અન્યથા મંદીર નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે. 
 
ભાઈબીજને તા.૦૬-૧૧-૨૦૨૧ના રોજ ભાઈબીજના દિવસે સવારે ૭-૦૦ કલાકે મંગલા આરતી બાદ મંદીર નિત્યક્રમ મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે તેમ વધુમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે,  દ્વારકાધીશ જગત મંદીર ખાતે શ્રીજીના દર્શને આવતા દર્શનાર્થીઓએ સરકારશ્રીની કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

આગળનો લેખ
Show comments