Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેહરાદૂન-ઋષિકેશ માર્ગ પર રાનીપોખરી પુલ પડ્યો, અનેક ગાડીઓ વહી ગઈ નદીમાં, જુઓ વીડિયો

Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (15:32 IST)
ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે દેહરાદૂન-ઋષિકેશ રોડ પરનો રાણીપોખરી પુલ ધરાશાયી થઈ ગયો છે. અકસ્માત દરમિયાન પુલ પરથી પસાર થતા કેટલાય વાહનો નદીમાં પડી ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી, પરંતુ કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યુ છે.
 
એવુ કહેવાય રહ્યુ છે કે પુલ પડતાની સાથે ત્રણ ગાડીઓ જેમા બે લોડર અને એક કારનો સમાવેશ છે જે નદીમાં પડી ગઈ. એક ઘાયલને ત્યાથી સારવાર માટે મોકલવામાં આવ્યો છે. પુલ પડવાની સૂચના મળતા જ પોલીસ અને રાહતદળ ઉતાવળમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટનાને કારણે હાલ દેહરાદૂનથી ઋષિકેશના મુખ્ય માર્ગનો સંપર્ક કપાય ગયો છે. ગાડીઓને દેહરાદૂનથી નેપાળી ફાર્મની તરફ ડાયવર્ટ કરીને ઋષિકેશ મોકલવામાં આવી રહ્યો છે. 

<

Dehradun- Ranipokhari bridge collapsed due to heavy rains. pic.twitter.com/dsSaHx0Dnf

— Shanren (@Ghaghu_) August 27, 2021 >
 
આ દરમિયાન ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાનીપોખરી પુલ વચ્ચેથી પડતો જોવા મળી રહ્યો છે. પુલ તૂટવા દરમિયાન તેના પરથી પસાર થતા વાહનો પણ નદીમાં પડી ગયા. લોકોનું કહેવું છે કે એ તો સારુ હતુ કે દુર્ઘટના સમયે પુલ એકદમ ન તૂટ્યો અને નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ઝડપી ન હતો, નહીંતર નુકસાન ઘણું વધારે હોત.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments