Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ સિવિલમાં કોરોના બાદ MIS-C રોગથી સંક્રમિત 2 બાળકનાં મોત, 7નો બચાવ

Webdunia
સોમવાર, 31 મે 2021 (19:20 IST)
કોરોના બાદ હવે રાજ્યમાં બ્લેક ફંગસ અને બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ) નામનો પોસ્ટ કોવિડ રોગ જોવા મળી રહ્યો છે. એક લાખે એક બાળકને અને એ પણ પશ્ચિમી દેશોમાં થતો આ રોગ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બાળકોનાં આ બીમારીથી મોત થયાં છે. તાજેતરમાં રાજકોટમાં પણ MIS- Cના 100થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે.કોરોના અને મ્યુકોરમાઇકોસિસના રોગથી લોકોને થોડી રાહત મળી છે, ત્યારે બાળકોમાં જોવા મળતા MIS-C રોગથી ફફડાટ મચ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઠ અને 12 વર્ષનાં બે બાળકોનાં આ રોગથી મોત થતાં માતમ છવાયો છે. આ બેમાંથી એક બાળકનું લોહીનું દબાણ ઓછું થવાની જ્યારે અન્ય બીજા બાળકનું હૃદય, મગજ અને લિવર ફેલ થવાથી મોત થયું છે. MIS- Cની બીમારી સાથે 10 બાળકો સિવિલમાં દાખલ થયાં હતાં, જેમાંથી 7ને બચાવી લેવાયા છે અને બેનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. MIS- C રોગ એ પોસ્ટ કોવિડ રોગ છે, જે નવજાત બાળકથી લઈ 15 વર્ષના બાળકમાં થતો રોગ છે. ઓટો એન્ટિબોડી રિએક્શન રોગ કહેવામાં આવે છે. માતાના પેટમાં ઊછરતા બાળકમાં પણ આ રોગ જોવા મળ્યો છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને જન્મના 12 કલાકમાં જ બાળકને તાવ આવ્યો હતો, જેથી સારવાર માટે અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments