Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના પર મતદારો પડ્યા ભારે, ડાંગમાં 74.71%, મતદાન

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2020 (10:50 IST)
રાજ્યની વિધાનસભાની 8 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન થયું છે. કોરોના ભય વચ્ચે પણ મતદારોનો જોશ જોવા મળ્યો હતો. તમામ સીટો પર સરેરાશ 58 ટકાથી વધુ મતદાન થયું હતું. સૌથી વધુ મતદારો આદિવાસી પ્રભુત્વ ધરાવતી ડાંગ સીટ પર 74.71 ટકા રહ્યા જ્યારે સૌથી ઓછું મતદાન ધારી સીટ પર 45. 74 ટકા થયું છે.
 
ચૂંટણી પુર્ણ થયા બાદ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાએ પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર એકંદરે ચૂંટણી પ્રક્રિયા અને મતદાન બંન્ને ખુબ જ સારી રીતે પુર્ણ થયા હતા. ચૂંટણી અધિકારીએ શાંતિપુર્ણ મતદાન બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. કોરોનામાં પણ 15 હજારથી વધારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 
 
જો કે 17 જેટલી ચૂંટણી આચાર સંહિતાના ભંગની ફરિયાદો દાખલ થઇ છે. જે પણ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બુટએપ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પુન: મતદાન સંદર્ભે જ્યાંથી ફરિયાદ આવી હશે તેનો આવતીકાલે નિર્ણય લેવામાં આવશે. કોરોના પોઝિટિવ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે કોઇ પણ કોરોના પોઝિટિવ દર્દી દ્વારા મતદાન કરવામાં આવ્યું નથી. 
 
મોરબીમાં એક કરજણમાં બે અને ડાંગમાં એક ઘટના અંગે ફરિયાદ દાખલ થઇ છે. કુલ ચાર ફરિયાદ દાખલ થઇ છે. તેવું જણાવ્યું હતું. તેમણે મતદાનનાં સરેરાશ આંકડા આપ્યા હતા. જો કે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, હજુ ફાઈનલ આંકડા આવ્યા નથી આવશે પછી ચિત્ર સ્પષ્ટ થશે.
 
06.00 વાગ્યા સુધી માં 8 વિધાનસભા માં થયેલું મતદાન
ધારી  45.74
ગઢડા  47.86
ડાંગ.   74.71
અબડાસા 61.31
મોરબી. 51.88
લીમડી  56.04
કરજણ. 65.94
કપરાડા  67.34
કુલ સરેરાશ મતદાન થયું 58.14 ટકા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments