Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ એક પિતાને તેની પુત્રીનું અપહરણ કરવું પડ્યું?

Webdunia
બુધવાર, 23 ઑક્ટોબર 2019 (11:59 IST)
સુરતના નાગરીક દેવાંગ પરેશ શાહને, નમ્રતા ઉપાધ્યાય નામની યુવતી સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરિવારને લગ્ન માટે આ યુવક અને યુવતી દ્વારા ગણી વકત વાત કરવામાં આવી હતી, પરંતુ બંનેના પરિવાર લગ્ન માટે ત્યાર ન હતા. આખરે બંન્નેએ નમ્રતાના માતા-પિતાની મરજી વિરૃધ્ધ ગોપીપુરા ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા, અને એસએમસીમાં લગ્ન નોંધણી પણ કરાવી હતી. આ લગ્નની જાણકારી યુવતીના પરિવારને થતા તેમણે યુવતીને પાલનપુર ખાતે રહેતા મામાને ત્યાં મોકલી આપ હતી. આ બાબતની જાણ મળતા પ્રેમી દેવાંગ તેના મિત્ર સાથે પાલનપુર ખાતે પહોચ્યો હતો અને યુવતીને ત્યાંથી ભગાડીને વાયા અંબાજી થઇ સુરત લઈને આવી ગયો હતો. સુરત આવ્યા બાદ નમ્રતાએ પોતે પોતાની મરજીથી દેવાંગ સાથે લગ્ન કર્યા હોવાનો લઈને તેની સાથે રહેવા લાગી હતી. અને પરિવાર હેરાન ન કરે તે માટે તેમણે અડાજણ પોલીસ મથકમાં અરજી કરી હતી.થોડા સમય બાદ યુવતીના પિતાએ યુવકના અન્ય સંબંધી સાથે મળી લગ્ન માટે સમાધાન કરવાનું કહીને બંનેના લગ્ન ધામધૂમથી કરી આપવાનું કહીને સમાધાન કર્યું હતું. ગતરોજ આ દંપતીને જહાંગીરપુરા આશારામ આશ્રમ પાસે યુવતીના પિતાએ બોલાવ્યા હતા અને અર્ટીગા કારમાં નમ્રતાનું અપહરણ કરી ભાગી ગયા હતા. પોતાની સામે જ પતિ દેવાંગે પત્ની નમ્રતાનું અપહરણ થતા, ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયો હતો અને સસરા, તથા તેના સંબંધી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી નમ્રતાની તપાસ શરુ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં સ્ટફ્ડ કારેલા બનાવો, તેનો સ્વાદ એટલો સરસ આવશે કે બધાને ગમશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments