Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત

Webdunia
શુક્રવાર, 17 જુલાઈ 2020 (12:41 IST)
સુરતમાં હવે કોરોનાનો આંકડો સ્થાનિક લોકોની સાથે સાથે સરકારને પણ ડરાવી રહ્યો છે. સુરતમાં ગઈકાલે 217 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંકડો 8907 પર પહોંચી ગયો છે. પરંતુ નવા કેસ કરતા પણ ચોંકાવનારો આંકડો મોતનો છે. સુરત સહિત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400 ને પાર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં વધુ 6 દર્દીઓ મોતને ભેટ્યા છ. તો એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 14 દર્દીઓના મોત નિપજ્યાં છે. સુરત ના 11 અને જિલ્લાના 3 દર્દીઓના મોત નિપજ્યાં છે. જે સાથે કુલ મૃત્યુઆંક  401 થઈ ગયો છે. ચિંતાજનક સુરતની સ્થિતિનો ચિતાર મેળવવા ગઈકાલે દિલ્હી એઇમ્સની ટીમ સુરત પહોંચી છે. ચાર્ટર્ડ પ્લેનથી આખી ટીમ સુરત પહોંચી હતી. જેના બાદ આજે મીટિંગનું પ્લાનિંગ કરાયું છે. કેન્દ્રની ટિમ સુરતમાં એક્ટિવ થઈ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ, મેડિકલ એસો., આરએમઓ, ડીન સહિતના અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ ટીમ બેઠક બાદ કન્ટેઈન્મેન્ટ ઝોનની મુલાકાત લેશે. તેમજ કોરોનાથી વધુ અસરગ્રસ્ત એવા લિબાયત, કતારગામ અને વરાછા ઝોનની મુલાકાત લેશે. 11 વાગ્યે એઈમ્સની ટીમ સુરતથી ગાંધીનગર જવા રવાના થશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments