Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસપીજીમાં પ્રમુખ પદને લઈને વિવાદ, અધ્યક્ષ લાલજી પટેલના નિર્ણયનાં વિરોધમાં નવી સમિતિ બનાવીને અધ્યક્ષ બદલ્યા

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (13:16 IST)
પાટીદારોના સંગઠન એસપીજી (સરદાર પટેલ સેવાદળ) ગ્રુપમાં ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે. લાલજી પટેલ અને પૂર્વીન પટેલ વચ્ચે મતભેદ થતા વિવાદ વકર્યો છે. એસપીજી પ્રમુખ પદને લઈને આ વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રમુખ પદ માટે અશ્વિન પટેલની નિમણૂંક થતા પૂર્વીન પટેલ અને ગૌરાંગ પટેલે લાલજી પટેલ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.પાટીદાર સમાજના યુવાનોનાં સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યાં છે. લાલજી પટેલે અટકાવેલી નિમણૂંકને લઈને સમગ્ર વિવાદ વકર્યો છે. નોંધનીય છે કે, અગાઉ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદ્દા રદ કર્યા હતાં. આ મુદ્દે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષનાં નિર્ણયને દર કિનારે કરાયો છે.પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સંસ્થા એસપીજીના લાલજી પટેલના નિર્ણયનાં વિરોધમાં નવી સમિતિ બનાવવામાં આવી છે. એટલે કે, હવે એસપીજીના અધ્યક્ષ બદલાવાયા છે. એસપીજી ગ્રુપના નવા હોદ્દેદારો નિમવા મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જો કે આ મામલે લાલજી પટેલે જણાવ્યું હતું કે, "એસપીજી ગ્રુપનાં કોઇ નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં નથી આવી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગોનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી તેઓ અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર ન હોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પૂર્વિન પટેલની વરણી કરવામાં આવી છે. 27 જુલાઈ, 2021ના રોજ એસપીજીના હોદ્દા અને વરણી સ્થગિત કર્યા હતાં. બાદમાં 17 જાન્યુઆરી સુધી કોઈ પણ હોદ્દેદારોની વરણી સ્થગિત કરી નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ નથી." આ પૂર્વે હોદ્દેદારોએ બળવો પોકારી ગઈકાલે સોમવારે કારોબારીની બેઠક બોલાવી હતી. આ કારોબારી બેઠકમાં એસપીજીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનાં અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂંક કરાઈ હતી. પૂર્વે હોદ્દેદારોએ કોરોનાના કારણે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments