Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં ચાર લોકો દબાયાની આશંકા, પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (14:28 IST)
junagadh building collapse
જૂનાગઢમાં વરસાદી પુર બાદ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આ મકાન ધરાશાયી થયું છે. જ્યાં શાકમાર્કેટ નજીક હોવાથી ચારેક લોકો દટાયા હોવાની માહિતી મળી છે.
building collapses at Junagadh

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણીના પુર આવ્યા હતાં. જેમાં સેંકડો વાહનો અને પશુઓ તણાઈ ગયાં હતાં. પરંતુ વરસાદ અને પુરની સ્થિતિમાં હવે મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. હાલમાં પાચ એમ્બ્યુલન્સ અને પોલીસ તંત્ર સહિતનો સ્ટાફ બચાવ કામગીરીમાં લાગી ગયો છે. મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધરાશાયી થયેલા આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા છે. તેમજ હાલ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
building collapses at Junagadh

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments