Biodata Maker

લ્યો બોલો ભાજપ સરકારના મંત્રીઓ હવે કામે વળગશે, પ્રજા વચ્ચે જઈ યોજનાઓનો પ્રચાર કરશે

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (12:26 IST)
ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સાંભળતાની સાથે કડક વલણ અખત્યાર શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે રાજ્યના મંત્રીઓને કાર્યકરો અને પ્રજા સાથે સીધો સંપર્ક સાધવાની ફોર્મ્યુલા બનાવી હતી. પરિણામે મંત્રીઓ ભાજપ કાર્યાલયમાં બેસવા લાગ્યા હતા. આજ રીતે કેન્દ્ર અને ગુજરાત સરકારના નિર્ણયો, યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા 'વિકેન્ડ' માં મંત્રીઓનો પ્રવાસ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી આવતીકાલથી મંત્રીઓ સહિત બોર્ડ નિગમના પદાધિકારીઓ ખેડૂતલક્ષી પગલાંઓનો પ્રચાર કરવા પ્રવાસે જશે. ફિલ્ડમાં જઈને સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરો, નવી જાહેર કરાયેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રચાર પ્રસાર કરવા માટે મંત્રીઓ અને બોર્ડ નિગમનાં ચેરમેનોને જણાવાયું છે. ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી તમામ મંત્રીઓ જિલ્લાઓમાં જઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કરશે પ્રચાર કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તમામ મંત્રીઓ અને બોર્ડ નિગમના ચેરમેનને સુચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આગમન બાદ હવે મંત્રીમંડળને પણ ગાંધીનગર બહાર ફીલ્ડમાં ઉતારવા જાહેર કરેલા ઈરાદાનો અમલ શરુ થઈ ગયો છે અને આવતીકાલથી ત્રણ દિવસ માટે મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના 19 સભ્યો તથા બોર્ડ નિગમના ચેરમેન સહિત 30 સરકારી પદાધિકારીઓ ‘સાત પગલા ખેડુત ભણી’ બેનર સાથે રાજ્યભરમાં તેમને ફાળવવામાં આવેલા જીલ્લાઓનો પ્રવાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સહાય યોજનાથી લઈને રાજ્ય સરકારે જે ખેડૂતલક્ષી પગલાઓ હાથમાં લીધા છે તેની માહિતી આપશે. મંત્રીઓ તથા બોર્ડ નિગમના અધ્યક્ષ તા.28થી30 શુક્રથી રવિવાર સુધી તેમને ફાળવવામાં આવેલા જીલ્લામાં જશે. મુખ્યત્વે તેમના મતક્ષેત્ર અથવા જ્યાં તેઓ પ્રભારી છે તે જીલ્લામાં જશે અને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપશે તથા તેમના પ્રશ્ર્નો પણ જાણશે જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં કેમ્પ કરશે તો રાજકોટ જીલ્લામાં કેબીનેટમંત્રી જયેશ રાદડીયાને જવાબદારી સોપાઈ છે. બોર્ડ નિગમના અધ્યક્ષ રાજકોટના ધનસુખ ભંડેરી, જામનગર ઉપરાંત જયાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યાં જશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments