Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:25 IST)
વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. જોકે,ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપે સત્તા તો મેળવી લીધી પણ પાટીદારોને આપેલાં એકેય વચન પૂર્ણ કર્યા નથી. હજુ સુધી પાટીદારો વિરૃધ્ધના ઘણાં કેસો પાછા ખેંચાયા નથી. આ કારણોસર પાટીદારોએ ફરી ભાજપ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ કરી છે. ૨૬મી સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ સરકાર સાથે યોજાયેલી બેઠકમાં પાટીદારોને એવુ વચન અપાયુ હતું કે,શહીદ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે,પાટીદારો વિરૃધ્ધ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યુ કે,નિર્દોષ પાટીદારો પર ખોટા કેસો કરાયાં છે.હજુયે ઘણાં કેસો પાછા ખેંચાયા નથી.સરકારે વચન તો આપ્યુ પણ પાળ્યુ નથી. આ ઉપરાંત અનામત અંગે સર્વે કરાવવા પણ વાયદો કરવામાં આવ્યો હતો તે પૂર્ણ કરાયો નથી. એસપીજીએ હવે ફરી સરકાર વિરૃધ્ધ રણશિંગુ ફૂંકવા તૈયારીઓ કરી છે. આગામી સપ્તાહમાં પાટીદાર આગેવાનોની એક બેઠક યોજવા આયોજન ઘડાયુ છે જેમા ભાજપ સરકારે પાટીદારોને આપેલાં વચનો કેમ પૂર્ણ કરાયાં નથી તે મુદ્દે ચર્ચા કરાશે.જો સરકાર આ વાયદા પૂર્ણ ન કરે તો પુઃન આંદોલન કરવા રણનિતી ઘડવા નક્કી કરવામાં આવી રહ્યુ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments