Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ અમદાવાદમાં પાટીદાર આગેવાનો સાથે ચર્ચાઓ કરશે

Webdunia
શનિવાર, 12 મે 2018 (10:20 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોર બાદ સોમનાથ મંદિરે દર્શન કરશે. અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ તેઓ દિવ એરપોર્ટથી સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યાં તેઓ તેમના પરિવાર સાથે પૂજા-અર્ચના કરીને મોડી સાંજે અમદાવાદ તેમના નિવાસસ્થાને આવશે. તેમજ પાટીદાર આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. આવતીકાલે અમિત શાહ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો સાથે સમય પસાર કરશે.

આ દરમિયાન તેઓ ગુજરાતના કેટલાક ચોક્કસ પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના કેટલાક પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ નવી દિલ્હી ખાતે અમિત શાહને મળ્યા હતા. તે સમયે અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત પ્રવાસ દરમિયાન વધુ ચર્ચા કરીશું. આ ઉપરાંત અમિત શાહ ગુજરાત સરકારની કામગીરી અને બીજેપી સંગઠનની કામગીરીનો રિપોર્ટ પણ માગશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના બીજેપી નેતાઓ સાથે પણ બેઠક કરીને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી માર્ગ દર્શન આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments