Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિતોની ચિમકી, 14મી એપ્રિલે ભાજપના નેતાઓને ડૉ.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતાં અટકાવાશે

Webdunia
સોમવાર, 9 એપ્રિલ 2018 (13:16 IST)
એટ્રોસિટી એક્ટ અંગે સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી બાદ ગુજરાત જ નહીં,દેશભરના દલિતોમાં રોષ ભભૂક્યો છે. અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યક્રમમાં દલિત નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી છેકે, જો ૧૪મી એપ્રિલ પહેલાં મોદી સરકાર એટ્રોસિટી એક્ટ અંગે વટહુકમ નહીં લાવે તો,બાબાસાહેબની જન્મજયંતિના દિને ભાજપના નેતાઓને ડૉ.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા અટકાવવામા આવશે.

અમદાવાદમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મચ અને સાથી સંગઠનો દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી હતી કે, આ કાયદા અંગે નિર્ણય આપનારા જજ સામે મહાભિયોગની માંગ ઉભી કરવામાં આવશે. ૧૪મી એપ્રિલે અમદાવાદના સારંગપુર ખાતે દલિતો માનવસાંકળ રચીને ભાજપના એકેય નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જવા દેશે નહીં. એટલુ જ નહીં,પ્રતિમાને ફુલહાર પણ કરવા દેવામાં આવશે નહીં. દરેક જિલ્લામાં દલિતો આવો કાર્યક્રમ ઘડી કાઢશે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં તમામ સ્થળોએ આંબેડકરની પ્રતિમાને ભાજપના નેતાઓ ફુલહાર ન કરે તે માટે આગોતરુ આયોજન કરાશે.દિલ્હીમાં કર્મશીલોની એક બેઠક યોજાનાર છે જેમાં આ માટે આયોજન કરવામાં આવનાર છે. દલિતોને ફાળવવામાં આવેલી જમીનો આજેય કાગળ પર જ છે. અસામાજીક તત્વોએ આ જમીનો પર દબાણ કર્યુ છે જેના વિરોધમાં ૧૪મી એપ્રિલે સામખિયાળી હાઇવે પણ ચક્કાજામ કરવા જીજ્ઞોશ મેવાણીએ એલાન કર્યુ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હાજરી આપશે. દલિત આગેવાન ભાનુભાઇએ આત્મ વિલોપન કર્યા બાદ સરકારે ઠાલા વચનો આપ્યા હતાં. આજેય તેનો અમલ થઇ શક્યો નથી જેથી દલિતોએ આંબેડકર જન્મજયંતિના દિને આક્રમક વિરોધ કરવાના મૂડમાં છે. સોમવારે અમદાવાદ, મહેસાણા, કચ્છ, અમરેલી, કડી સહિતના જીલ્લાઓમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો જીલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પણ પાઠવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments