Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ambaji Temple Closed - કોરોનાના લીધે ફરી શક્તિપીઠને તાળા લાગ્યા, નર્મદા ઘાટ પર ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ

Webdunia
શનિવાર, 15 જાન્યુઆરી 2022 (10:24 IST)
રાજ્યમાં ફરી કોરોનાએ પોતાનો આતંક વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય એમ દરરરોજ કેસ વધી રહ્યા છે. જેને કારણે સરકારે નિયંત્રણો પણ લગાવી દીધા છે. ત્યારે ગુજરાતમાં યોજાનારા મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના કારણે વાયબ્રન્ટ સમિટ, ફ્લાવર શો સહિત પ્રોગ્રામ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલું આસ્થાનું ધામ અંબાજી મંદિર ફરી એકવાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. વહિવટીતંત્ર દ્રારા પ્રેસનોટ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે ગબ્બર, અંબાજી મંદિર અને ટ્રસ્ટના મંદિરો બંધ રહેશે. આમ, કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મંદિર બંધની જાહેરાત કરી દેવાઈ છે. જોકે, સવાર અને સાંજની આરતીના ઓનલાઇન દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મંદિર ટ્રસ્ટનુ અંબિકા ભોજનાલય ચાલુ રહેશે.
આ સાથે જ ગિરનારનું અંબાજી મંદિર, અંબાજી માતાનું મંદિરમા મોટા નિર્ણયો લેવાયા છે. તો સાથે જ નર્મદા ઘાટ પર પણ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે.  
 
ગિરનાર પર્વત પર આવેલા અંબાનો પ્રાગટ્ય મહોત્સવની કોરોનાને પગલે સાદગીથી ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી 17 જાન્યુઆરી પોષી પૂનમના દિવસે માં અંબાના પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. 
 
તો બીજી તરફ નર્મદા ઘાટ ખાતે થતી ધાર્મિક પ્રવૃતિઓઓ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. . નર્મદા ઘાટ ખાતે કોઈપણ પ્રકારની પૂજા અર્ચના વિધિ કરવી નહિ. ફૂલ કે પૂજાપો અર્પણ કરવા નહિ અને નર્મદા નદીમાં દૂધ પણ નહીં ચઢાવવા આદેશ કર્યો છે. તેમજ જાહેરનામાનો જો ભંગ થશે તો નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સબ ઇન્સપેક્ટરને ગુનો દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments