Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિપાહ વાયરસથી ગુજરાતમાં એલર્ટ: દક્ષિણ ભારતથી આવતા તમામ મુસાફરોનું થશે મેડિકલ સ્કેનિંગ

nipah-virus
Webdunia
બુધવાર, 23 મે 2018 (12:39 IST)
કેરળના કોઝીકોડમાં ફેલાયેલા ચેપી નિપાહ વાયરસને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે કેરળ અને દક્ષિણ ભારતથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ સહિતના સ્ટેશનો પર સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવે અને જો કોઈને નિપાહના લક્ષણ દેખાય તો તાત્કાલીક સારવાર આપવામાં આવે રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે નિપાહ વાયરસને લઈને કેરળ  અને દક્ષિણ ભારતથી ગુજરાત આવતા તમામ મુસાફરોનું મેડિકલ સ્કેનીંગ કરવામાં આવશે. આ માટે રાજ્યભરમાં એરપોર્ટ અને મોટા રેલવે અને બસ સ્ટેશનો ઉપર મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે. કેરળના કોઝીકોડ જિલ્લામાં ચામાચીડિયાથી ફેલાતા રહસ્યમય અને ખૂબ જ ઘાતક નિપાહ વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 6 લોકોની સ્થિતિ ગંભીર છે.

આ ખતરનાક વાયરસથી પીડિત 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વાયરસથી જોડાયેલ વધુ માહિતી હાંસલ કરવા માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગે પણ પ્રભાવિત જિલ્લામાં એક ટીમ મોકલવામાં આવી છે. નિપાહ વાયરસને NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બીમારાના લક્ષણની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, માથુ દુખવુ, બળતરા, ચક્કર આવવા, બેભાન થવુ વગેરે. આ ચેપથી પીડિત દર્દીને જો તાત્કાલિક સારવાર ન મળે તો 48 કલાકમાં દર્દી કોમામાં જઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર આ વાયરસ સામે લડવા માટે અત્યાર સુધી કોઈ દવા વિકસિત કરવામાં નથી આવી અને આ વાયરસથી પીડિત દર્દીઓને આઇસીયુમા રાખી જ ઇલાજ કરી શકાય છે.

ડોક્ટર્સનું માનીએ તો આ વાયરસનો ચેપ એક ખાસ પ્રકારનું ચામાચીડિયું જેને ફ્રૂટ બેટ કહેવામાં આવે તેનાથી એંઠા ફળ કે ફળના રસનું સેવન કરવાથી થાય છે કે જે નિપાહ વાયરસનું મુખ્ય વાહક છે. આ વાયરસ સૂવરથી પણ ફેલાય છે. આ સિવાય આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"Sh" Letter Names for Girls - તમારી પ્રિય પુત્રીને 'શ' અક્ષરથી શરૂ થતા આ પરંપરાગત નામો આપો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments