Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં BRTS બસમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (12:42 IST)
કર્ણાવતી ક્લબ પાસે આજે સવારે બીઆરટીએસ બસ અચાનક ભડભડ સળગી ઊઠી હતી. જોતાજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીઆરટીએસની બસ સેવા એરપોર્ટથી કર્ણાવતી ક્લબ સુધી ચાલે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હતા તેથી કોઈ જાનહાની થઈ નથી.આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે બસમાં લાગેલી આગને પગલે બસ ભસ્મીભૂત થઈ ગઈ હતી. કર્ણાવતી ક્લબ બાજુ પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગતાં લોકોએ વાહનો પાર્ક કરીને મોબાઈલમાં સળગતી બસના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. બસમાં પાછળના ભાગે લાગેલી આગથી જોતજોતામાં જ આખી બસ આગની ચપેટીમાં આવી ગઈ હતી. રોંગ સાઈડના રોડ પર જ કેટલાક લોકોએ વાહનો રોકીને મોબાઈલમાં આગના દ્રશ્યો કેમેરામાં કેદ કરતાં જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments