Dharma Sangrah

ગુજરાત રાજ્યની 6921 શાળાઓમાં બાળકોને રમવા માટે મેદાન જ નથી

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (12:37 IST)
રાજ્ય સરકાર દ્વારા બાળકો નાનપણથી જ રમતગમતના ક્ષેત્રમાં રસ કેળવે તે હેતુથી ખેલ મહાકુંભ, શાળા પ્રવેશોત્વસ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરોડોના ખર્ચે કરે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે બાળકોને સ્કૂલમાં રમવા માટે મેદાન જ નથી મળતા. રાજ્યની 7 હજાર જેટલી શાળાઓ રમતગમતના મેદાન વગર જ ચાલી રહી છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. રમતગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર આવા અનેક સુત્રો આપે છે અને રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને રમતગમતના સાધનો આપવા સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે. પરંતુ રમતગમત વિભાગમાં પ્રાથમિક શાળાઓના જે આંકડાઓ સામે આવ્યા છે તે જોતા સરકારના આ કાર્યક્રમો સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્યના 31 જિલ્લાઓમાં 6921 શાળાઓ એવી છે, જેમાં બાળકોને રમવા માટેના મેદાન જ નથી. બીજી તરફ 14 જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે જે વીજળી વગર જ ચાલી રહી છે. જો વીજળી જ ન હોય તો પછી ત્યાં કમ્પ્યુટર કેવી રીતે ચાલતા હશે અને વીજળી વગર ઉનાળાની આકરી ગરમીમાં માસૂમ ભૂલકાઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે. આવા અનેક સવાલો ઉઠ્યા છે. તો રાજ્યમાં 6311 શાળાઓ એવી છે કે જ્યાં બે કે ત્રણ ઓરડા બનાવવામાં આવ્યા છે. પરંતુ ત્યાં કમ્પાઉન્ડ વોલ જ નથી. આથી આવી શાળાઓમાં કોઇ પણ વ્યક્તિ કે પશુઓ આસાનીથી ઘુસી શકે છે. વિપક્ષ કોંગ્રેસે આ તમામ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકાર બાળકોના નામે કે બાળકો માટે કાર્યક્રમ કરી કરોડોના તાયફાઓ તો કરે છે પરંતુ હકીકત કાંઈક જુદી જ છે. આથી સરકારે પહેલા આવી સરકારી શાળાઓમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવી જોઇએ અને બાદમાં કાર્યક્રમ કરવા જોઇએ. જો રમત માટે મેદાન જ નહીં હોય તો કેવી રીતે રમશે ગુજરાત. કેવી રીતે જીતશે ગુજરાત.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments