Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝાંઝરી ધોધમાં ન્હાવા પડેલા અમદાવાદ 3 યુવકોએ જીવ ગુમાવ્યો, આખી રાત કરાઇ શોધખોળ

અમદાવાદ 3 યુવકોએ જીવ ગુમાવ્યો
Webdunia
શુક્રવાર, 6 મે 2022 (09:48 IST)
બાયડ તાલુકામાં આવેલ ઝાંઝરી ધોધ એક કરતા વધુ વખત લોકો ડૂબી ગયાના સમાચાર સામે આવે છે. ત્યારે અમદાવાદથી ઈદ મનાવવા આવેલા 3 યુવાનોના ડૂબી જવાથી શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. અમદાવાદના યુવાનો તહેવારના દિવસે ઝાંઝરી ધોધમાં નાહવા માટે આવ્યા હતા. પરંતુ યુવકો ડૂબતા સ્થાનિક લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ જતા આ ઘટનાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને તેમની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.
 
બાયડ મામલતદાર પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના બાપુનગરના આ યુવકો અહીં ફરવા આવ્યા હતા. જેમાંથી ઇસ્તિયા કમરૂભાઇ મન્સુરી, હસન ઇર્શાદભાઇ મન્સુરી અને ઇરફાન મન્સુરી વાત્રક નદીના ધોધમાં ન્હાવા પડ્યા હતા. ત્રણેય યુવકોની ઉંમર 20 થી 22 વર્ષની આસપાસ છે. આ અંગેની પ્રાથમિક વિગતો ડાભા ગામના સ્થાનિકો દ્વારા મળી હોવાનું પણ મામલતદારને જણાવવામાં આવ્યું હતું.
 
ઘટના બાદ સ્થાનિક ફાયર બ્રિગેડ તેમજ વિસ્તારના અનુભવી તરવૈયાઓએ યુવકોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 2 યુવકોની શોધખોળ ચાલુ હતી. નદી ઊંડી હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી અને શોધખોળ બાદ પણ કોઈ બચાવ કામગીરી સફળ થઈ ન હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments