Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ઈદના દિવસે પોલીસની શરતો પ્રમાણે જુલુસ કાઢી શકાશેઃ હાઈકોર્ટ

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2019 (13:33 IST)
ઇદના દિવસે જુલૂસ કાઢવા મંજૂરી માગવા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે ફગાવી છે. પોલીસ કમિશનર દ્વારા જે શરતોે મુજબ જુલૂસ માટે મંજૂરી આપવામાં આવે તેને આધિન જ જુલૂસ જ કાઢી શકાશે. હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે થતા પ્રયત્નોમાં કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે.ઇદ-એ- મિલાદુનબ્બી (સેન્ટ્રલ) કમિટી (અમદાવાદ)એ ઇદ-એ- મિલાદના દિવસે જુલૂસ કાઢવા માટે મંજૂરી નહીં મળતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે, આગામી 10મી નવેમ્બરે ઇદના દિવસે પોલીસ અને સરકાર પાસે જુલૂસ કાઢવા મંજૂરી માંગતી અરજી કરી છે. પરંતુ હજુ સુધી જુલૂસની મંજૂરી આપી નથી. 40 વર્ષથી તેમની કમિટી શહેરમાં શાંતિપૂર્ણ રીતે જુલૂસ કાઢી રહી છે. તો બીજી તરફ પોલીસે અન્ય કમિટિને જુલૂસ કાઢવા મંજૂરી આપી છે. બન્ને કમિટિ વચ્ચે આ મામલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. અરજદાર કમિટીએ તેમને જુલૂસ માટે મંજૂરી મળે તેની દાદ માંગી હતી. અરજદાર વતી એડવોકેટ ખેમચંદ કોષ્ઠીએ એવી દલીલ કરી હતી કે, ગયા વર્ષે પણ ઇદની આગલી રાત્રે પોલીસે મંજૂરી આપી હતી જેના કારણે યોગ્ય અને પૂરતી તૈયારી થઇ શકી નહોતી. આ વર્ષે પણ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. મંજૂરી નહીં મળવાને લીધે કોર્પોરેશન પાસેથી લાઇટિંગ, લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવા જેવા કામોની મંજૂરીનું કામ પણ અટકી ગયું છે.હાઇકોર્ટે ચુકાદામાં ઠેરવ્યુ છે કે, શહેરમાં બે કમિટિને જુલૂસ કાઢવા મંજૂરી આપી શકાય નહીં. પોલીસે એક કમિટીને મંજૂરી આપી દીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments