Biodata Maker

અયોધ્યાના ચુકાદા મુદ્દે અમદાવાદમાં આજે 144ની કલમ લાગુ, પોલીસ અધિકારીઓની રજાઓ રદ

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2019 (13:29 IST)
શનિવારે સવારે સાડા દસ વાગ્યે અયોધ્યાનો ચુકાદો જાહેર થવાનો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસની રજાઓ રદ કરી દીધી હતી ઉપરાંત કોર્ટ ડ્યૂટીમાં પોલીસને નહીં જવા પણ તાકીદ કરી હતી.બીજી તરફ શહેરમાં કલમ 144 લાગુ કરાઇ છે જેથી જાહેર ચાર રસ્તા પર ચાર લોકોથી વધુ ભેગા થઇ શકશે નહીં. શુક્રવારે મોડી રાત્રે જ અસામાજિક તત્ત્વોને પકડવા માટે કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત હોટેલ ચેકીંગ પણ કરવામાં આવ્યુ હતુ.શનિવારે સવારથી જ શહેરની તમામ પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. દરેક પોલીસ સ્ટેશનોને વધારાના વ્હીકલો પણ રિક્વિઝેટ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. ફુટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, પેટ્રોલીંગન પોઈન્ટ, એસઆરપીના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. દરેક ઝોનના ડીસીપીને પણ સવારથી પોલીસ પેટ્રોલિંગમાં નીકળવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આશિષ ભાટિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, ક્રાઈમબ્રાન્ચ સાથે કવીક રિસ્પોન્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. લાઠી, હેલ્મેટ સહિતના સાધનો લઈને જ નીકળવા માટે પણ પોલીસને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સાયબર ક્રાઈમને પણ સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 9, 10, 11 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. ભાજપના જિલ્લાવાર સ્નેહમિલનો, સંગઠન મંડળની રચના, અન્ય તમામ કાર્યક્રમો ત્રણ દિવસ માટે મોકુફ રખાયા છે. તમામ કાર્યકર્તાઓને અપિલ કરતા વાઘાણીએ જણાવ્યું કે, રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે તે સ્વિકારવાનો રહશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા

શીતળા સાતમની રેસીપી- ગળ્યા ભજીયા

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

Moong Dal Kachori - મગની દાળ કચોરી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

ગુજરાતી જોક્સ - 20 રૂપિયાની નોટ

Dhurandhar 2 Trailer Released: લોહીથી લથપથ થશે લયારી અને ધમાકાથી કાંપી જશે કરાંચી, ટ્રેલરમાં એક્શનનો ભંડાર

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આગળનો લેખ
Show comments