Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી બાદ ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું ચલણ વધ્યું હોવાની ચર્ચાઓ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (11:33 IST)
ક્રિપ્ટોકરન્સી પર સરકારનો કંટ્રોલ નથી હોતો અને દુનિયાભરમાં તેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે છે. નોટબંધી પછી રોકાણકરો મોટા પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી તરફ આકર્ષિત થયા છે.  નિષ્ણાંતો જણાવે છે કે, ગુજરાતમાં લગભગ અઢી હજાર કરોડ રુપિયા કરતાં વધુ રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં થયું છે. ગત બે-ત્રણ વર્ષમાં અમદાવાદ અને સુરતની અનેક કંપનીઓ ICOsમાં શામેલ થઈ છે. આ પ્રાઈવેટ એક્ષચેન્જીસ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી ઓફર કરે છે. ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઘણાં લોકો આ પ્રાઈવેટ એક્ષચેન્જને કારણે છેતરાયા પણ છે. આ વિષયના એક નિષ્ણાંત જણાવે છે કે, રોકાણકારોને પ્રતિદિવસ 10 ટકા જેવા ઉંચા વ્યાજના દરે 180 દિવસ માટે પૈસા રોકવાની ઓફર કરવામાં આવે છે.

180 દિવસના અંતે રોકાણકાર પાસે બે ડિજીટલ વોલેટ્સ હશે, એકમાં મુદ્દલ રકમ અને બીજા વોલેટમાં વ્યાજની રકમ. રોકાણકાર જોઈ શકે છે કે તેણે રોકેલા પૈસાની કિંમત વધી રહી છે, પરંતુ તે વર્ચ્યુઅલ હોય છે. 6 મહિના સમાપ્ત થાય તે પહેલા ઓપરેટર બિઝનેસ સંકેલીને પૈસા સાથે ફરાર થઈ જાય છે. આવા અમુક કેસ નોંધાયા છે. નિષ્ણાંતોનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સી પર ભારત સરકારના વલણને કારણે નવી એન્ટ્રી સ્લો થઈ ગઈ છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments