Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના યુવાનને દુર્લભ બ્લડ ગ્રૂપ હોવાની 25 વર્ષે ખબર પડી

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (12:34 IST)
-  25 વર્ષે ખબર પડી કે દુર્લભ એએક્સ બલ્ડ ગ્રુપ છે  
- અંદાજે દર દસ હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ

પોતાને લોહી ચઢાવવું પડે તો O ગ્રૂપ અને બીજા માટે બ્લડ ડોનેટ કરે તો A ગ્રૂપવાળાને જ આપી શકાય

અમદાવાદના યુવાનમાં દુર્લભ બ્લડ ગ્રૂપ છે. જેમાં તેમને 25 વર્ષે ખબર પડી છે. પોતાને લોહી ચઢાવવું પડે તો O ગ્રૂપ અને બીજા માટે બ્લડ ડોનેટ કરે તો A ગ્રૂપવાળાને જ આપી શકાય છે. O ગ્રૂપ સમજી બીજાને લોહી ચઢાવાય તો શરીરે ફોલ્લા, શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યા થઈ શકે છે.લોહીના પરીક્ષણમાં વિસંગતતા સામે આવતાં નમૂના ઓસ્ટ્રેલિયા મોકલાયા હતા.
rare blood group

નરોડા ખાતે આવેલી જીસીએસ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે દુર્લભ બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે, શહેરના 25 વર્ષના એક યુવાને દાતા તરીકે રક્તદાન કર્યું હતું. જોકે રક્તદાનના પરીક્ષણમાં એવો ખુલાસો થયો હતો કે, આ રક્તદાતાનું બ્લડ ગ્રૂપ ઓ છે જ નહિ, હકીકતે એએક્સ ગ્રૂપ હોવાનું સામે આવ્યું છે. અંદાજે દર દસ હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ હોય છે, એટલું જ નહિ પરંતુ લાખોમાં એક કેસ હોય તેવા પણ દુર્લભ બ્લડ ગ્રૂપની ઘટનાઓ સામે આવતી હોય છે.

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ દર્દીને સમજાવાયું છે કે, પોતે રક્તદાન મેળવે તો તેને ઓ બ્લડ ગ્રૂપનું લોહી મેળવવું પડે અને જો બીજા માટે રક્તદાન કરે તો તેનું રક્ત કોઈ એ બ્લડ ગ્રૂપની જરૂરિયાતવાળી વ્યક્તિને જ આપી શકાય છે. જો આવું ન થાય તો જેમને લોહી અપાયું છે તે વ્યક્તિને શરીરે ફોલ્લા થવા કે પછી શ્વાસ લેવામાં તકલીફ સહિતની અન્ય કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે 25 વર્ષીય નિખિલ નામનો યુવક ડોનર તરીકે આવ્યો હતો. ત્યારે આ વાતની જાણાકારી મળી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments