Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

Webdunia
મંગળવાર, 25 જૂન 2024 (17:35 IST)
સુરત, -શહેરની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબનો પોપડો તૂટી પડતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના G-0 વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટી પડતાં થોડાક સમય માટે ભાગદોડ મચી ગઇ હતી. સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.
 
G-0 વોર્ડમાં તેમની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ મોર્ય હાલ પાંડેસરા હાઉસીંગમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પત્ની રાનીદેવી અને 4 સંતાન સાથે રહે છે. ધર્મેન્દ્રભાઈ સ્થાનિક વિસ્તારમાં ચોકલેટ-બિસ્કીટની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેન્દ્રભાઈની પત્ની રાનીદેવીને કિડની બીમારી છે, જેથી છેલ્લા બે વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે. રાબેતા મુજબ રાનીદેવી અને તેના પતિ ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જૂની બિલ્ડિંગમાં G-0 વોર્ડમાં તેમની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી. 
 
વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો
તે સમયે ધીરેધીરે ઉપરથી સ્લેબ તૂટીને તેણીના ઉપર પડવા લાગ્યા હતા. જેથી વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફે રાનીદેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી. જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને રાનીદેવીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.સિવિલ તંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટના બે દિવસ પહેલા બની હોવાની સામે આવ્યું છે અને ઘટના બન્યા બાદ તાત્કાલિક પગલાં લઈને તેને રિપેર કરી નાખવામાં આવ્યું હતું. આ સાથે જ આ જુની બિલ્ડિંગને શિફ્ટ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી તેને પાડીને ત્યાં નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments