Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબે ઇન્જેક્શન લઈને જ આપઘાત કર્યો

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2023 (15:07 IST)
સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. 53 વર્ષય ડૉ.ઉદય કુમારે આપઘાત કર્યો હોવાની માહિતી મળતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી અનુસાર, સુરતના રાંદેર રોડ પર આવેલી જાણીતી પટેલ મેડીકલ હોસ્પિટલના ડૉ ઉદય પટેલે આપઘાત કર્યો છે. આ માટે તેમણે વેક્યુનોરીયમ ઇન્જેક્શન શરીર માં ઇન્જેક્ટ કર્યું હતુ અને ઇન્જેક્શન લઈને જ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, સુરતના તબીબ આલમમાં ડૉ ઉદય પટેલ ઘણું મોટું નામ છે. અને લાંબા સમયથી તેઓ રાંદેર રોડ પર આવેલી પટેલ મેડિકલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો કે ડૉક્ટરો કઈ સ્થિતિમાં આપઘાત કર્યો તેના પર રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

આ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.ડૉ ઉદય પટેલે ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો છે. જેના કારણે વિવિધ તર્ક વિતર્કો શરૂ થયા છે. તેમજ કઈ સ્થિતિમાં તેમણે આ પગલું ભર્યું તેના અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે હાલમાં ઉદય પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. જ્યાંથી પણ કેટલીક માહિતીઓ સામે આવી શકે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments