Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેલ્ફિએ લીધો જીવ, જાસપુર કેનાલમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા

Webdunia
શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:24 IST)
અમદાવાદનાં જાસપુર કેનામાં કર્ણાવતી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયાની ઘટના બની છે. મૂળ મોરબીના અને ગાંધીનગર પાસેની કર્ણાવતી યુનિ.ની બીબીએ કોલેજમાં અભ્યાસ કરતા બંને યુવાનો કેનાલ પાસે સેલ્ફી લેતા હતા દરમિયાન યુવાનનો પગ લપસી પડતાં તે કેનાલમાં પડ્યો હતો. મિત્ર ડૂબતો જોઈ બીજો મિત્ર પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એનડીઆરએફની ટીમ ગઇકાલે મોડી રાતથી જ તપાસમાં લાગી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, જે યુવાનો ડુબ્યાં છે તેમાં એક યુવાન સાંસદ મોહનભાઈ કુંડારિયાનો ભાણેજ પણ સામેલ છે. ગઇકાલે મોડી રાતથી કેનાલ બંધ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાતે અંધારાને કારણે તપાસમાં તકલીફ પડતી હતી. પરંતુ સવારથી આ યુવાનોને શોધવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ યુવાનો મોરબીનાં રહેવાસી છે અને અભ્યાસ અર્થે ગાંધીનગર રહેતા હોવાના સમાચાર છે. આ યુવાનો કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.
 
 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments