Dharma Sangrah

જામનગરના ઉપલેટાની શાળામાં ભણતા 13 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા, એક જ બસમાં મુસાફરી કરતા હતા

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (10:40 IST)
જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે. તમામ વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ તેમના પરિવારજનોના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે.

શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે. જામજોધપુરથી ઉપલેટા જતાં 35 વિદ્યાર્થીઓ પૈકી શહેરના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જામજોધપુરમાંથી 35 છાત્રો ઉપલેટા પાસે આવેલી એક ખાનગી શાળામાં બસમાં અભ્યાસ કરવા માટે જાય છે, જેમાં ધો. 1 થી 10 ના વિદ્યાર્થીઓ પ્રતિદિન અપડાઉન કરે છે. જે પૈકી દસમા ધોરણની એક વિદ્યાર્થીની કે જે જામજોધપુરમાં રહે છે, તેણીને તાવ શરદીની અસર થઇ હોવાથી સોમવારે શાળાએ ગઈ ન હતી. જેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વિદ્યાર્થીના પરિવારમાં ચિંતા પ્રસરી હતી. દરમિયાન તેનાં પરિવારજનોએ અન્ય વિદ્યાર્થીઓને પણ જાણકારી આપી હતી. જેથી જામજોધપુર રહેતા અને ઉપલેટાની શાળામાં અભ્યાસ કરવા જતા 35 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સ્કૂલ બસમાં તમામ વિદ્યાર્થીઓને જામજોધપુર લઈ આવ્યા પછી બપોરે એક વાગ્યે આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં એકસાથે વધુ 12 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે દોડધામ મચી ગઇ હતી. કોરોનાથી સંક્રમિત તમામ 12 વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ પ્રત્યેક વિદ્યાર્થીના વાલી અને તેમના અન્ય પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઇ છે. જામજોધપુરના વિદ્યાર્થીઓના સંક્રમિત થયાના અહેવાલને પગલે ઉપલેટા પંથકમાં આવેલી શાળા કે જ્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનું અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાથી શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવા જણાવાયું છે. શાળામાં સેનીટેશનની સહિતની પ્રક્રિયા હાથ ધરી લેવાઈ છે ઉપલેટા તેમજ આસપાસના પંથકના વિદ્યાર્થીઓના પણ કોવિડ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જામનગર જિલ્લામાં એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની ગયા હોવાનો પ્રથમ કિસ્સો બન્યો છે. જેથી વિદ્યાર્થી આલમમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments