Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન, ભક્તોની સુરક્ષા માટે 100 કરોડનો વીમો ઉતારાશે

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (15:37 IST)
surat ganpati utsav

ગુજરાતમાં સુરત શહેરમાં અંદાજે 75 હજાર કરતાં પણ વધારે શ્રીજીની નાની મોટી પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સમગ્ર ઉત્સવને લઈને આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પોલીસ વિભાગ અને સુરત કોર્પોરેશન દ્વારા પણ સહયોગ કરવામાં આવતો હોય છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવ દરમિયાન અનેક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજકો વીમો ઉતારતા હોય છે.સુરત શહેરની અંદર ભગવાનને પ્લેટિનિયમ સોનું, ચાંદી, રિયલ ડાયમંડ સહિતના કિંમતી ધાતુઓ વડે પણ શણગાર કરવામાં આવતો હોય છે. ગણેશજીની પ્રતિમા ઉપરના જે આભૂષણો હોય છે તે આભૂષણો ઘણા ગણેશ આયોજકો રીયલ પહેરાવતા હોય છે. જેની કિંમત લાખો રૂપિયામાં થાય છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગતા હોય છે અને લોકો દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં પણ આવે છે. અલગ અલગ થીમ ઉપર ખૂબ મોટા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.

ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જીગ્નેશ માધવાણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ આયોજક દ્વારા વીમા માટે એપ્લાય કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પાંચથી સાત જેટલા વીમા એપ્લાય કરી દેવામાં આવ્યા છે. જેની કુલ કિંમત 25 કરોડ જેટલી થવા જાય છે. એટલું જ નહીં પરંતુ આગામી બે દિવસની અંદર જ આ આંકડો 100 કરોડ સુધી પહોંચે એવા મારો અંદાજ છે.દર્શનાર્થે ભક્તો આવશે જો તેમને કોઈક અગમ્ય કારણસર દોડાદોડી થાય કે બીજી કોઈ ઘટના બને અને મોત નીપજે તો તેમને રૂપિયા એક લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવશે અને ઈજા થાય તો રૂપિયા 20,000 સુધી ચૂકવવા માટેનું પણ વીમા કવચ લેવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments