Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપને હરાવવાના સંકલ્પ સાથે હાર્દિક પટેલ 182 ગાડીઓ સાથે સોમનાથ યાત્રાએ જવા રવાના થયો,

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:38 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પાસના આગેવાનો 182 ગાડીઓ સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા નિકળ્યા છે.   તેઓ 16મીએ સોમનાથ પહોંચશે. જ્યાં તેઓ ગુજરાતમાંથી ભાજપને નાબૂદ કરવાના સંકલ્પ સાથે આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી સમાજને જાગૃત કરી ભાજપ વિરોધી મતદાન કરવા માટે પ્રેરિત કરશે.

જેલમાંથી છૂટીને બહાર આવેલા  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ પણ અનામતની માંગ અને અન્યાય સામેની લડત વધુ મજબૂત અને આક્રમકતાથી લડશે. પાસના કન્વીનરોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પાસના આગેવાનો અને પાટીદાર સમાજના આંદોલનકારીઓ 182 ગાડીઓ લઇને સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. જ્યાં તેઓ ગુજરાતની ઝુલ્મી ભાજપ સરકારને હટાવવાના સંકલ્પ કરશે. તે પછી ગુજરાતમાં 15થી વધુ જગ્યાએ મોટા સંમેલનો કરીને ભાજપ સરકારનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.ગુજરાતમાં ચાલી રહેલાં ભાજપના જાહેર કાર્યક્રમોમાં પાટીદાર આગેવનો દ્વારા થઇ રહેલાં વિરોધ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હજુ તો આ શરૂઆત છે. ચૂંટણી નજીક આવશે તેમ ગુજરાતભરમાં પાટીદાર યુવાનો ભાજપના કાર્યક્રમોનો જોરશોરથી વિરોધ કરી અનામતનો અવાજ બૂલંદ બનાવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

52 વર્ષની આ અભિનેત્રી જેણે બહેનપણીના પતિ સાથે કર્યા લગ્ન, 10 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવી, 200 કરોડનુ છે નેટવર્થ

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

વધુ જુઓ..

નવીનતમ

ક્રિસ્પી ગાર્લિક પોટેટો વેજીસ

શિયાળ અને કાગડો

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments