suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ચૂંટણીના પડધમ... 'શંકર'સિંહ વાઘેલાએ ખોલ્યુ પોતાનુ ત્રીજુ નેત્ર 'જનવિકલ્પ'

'શંકર'સિંહ વાઘેલા
કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શંકરસિંહ વાઘેલા શું કરશે? એવો પ્રશ્ન પૂછવામાં આવે છે અને શંકરસિંહ વાઘેલા એક જ જવાબ આપે છે કે રાજકારણ છોડયું નથી. રાજકારણમાં તો રહીશ જ. હવે શંકરસિંહ વાઘેલાનાં સમર્થકોએ જન વિકલ્પ નામનો ત્રીજો મોરચો ખોલ્યો છે. જોકે, બાપુએ હાલ આ મોરચા સાથે પોતાને કશું લાગતું વળગતું ન હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં જન વિકલ્પનાં પોસ્ટર લાગવા માંડયા છે. આની ટેગ લાઈન છે કે 70 વર્ષથી કોંગ્રેસ અને ભાજપે શોષણ કર્યું છે હવે ત્રીજો વિકલ્પ છે જન વિકલ્પ.
 
. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે ‘જન વિકલ્પ’ નામે ત્રીજો મોરચો ખોલ્યો છે.Untitled-10 સમગ્ર શહેરમાં શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.janvikalp.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે. વેબસાઇટ પર લોકોને વચનોની લ્હાણી પણ કરાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મ્યાંમારમાં મોદી LIVE: બહાદુર શાહ જફરની દરગાહ પર જશે પીએમ