rashifal-2026

મા ચંદ્રઘંટાની ઉપાસનાથી આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય છે

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (09:07 IST)
નવરાત્રિનું ત્રીજું નોરતું મા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા ચંદ્રઘંટાનું ત્રીજે નોરતે ષોડ્શોપચારે પૂજન કરનારના જીવનમાં આવતા પ્રત્યેક ધખારા શમી જાય છે. જેમ પૂનમને ચંદ્ર ઊગતાં દરેક વનસ્પતિ સહિત જગતનો દરેક જીવ ચેતનવંતો બની જાય છે. પ્રાણશકિતથી ભરપૂર બની જાય છે. તેમ મા ચંદ્રઘંટાનું પૂજન કરનાર જગતનો દરેક જીવ જીવનમાં ખૂબ શીતળતા ધારણ કરે છે.

જો કોઇ મનુષ્ય જગદંબાના આ ત્રીજા સ્વરૂપની નિત્ય ઉપાસના કરે છે તો તેના જીવનમાં સદૈવ ચંદ્રના જેવી શીતળતા વ્યાપી રહે છે. તેને કદી અશાંતિ કે ઉદ્વેગ સ્પર્શતો નથી, બલકે એમ કહો કે મા ચંદ્રઘંટાના સાધક પ્રત્યેક માર્ગ એકદમ શીતળ થઇ જાય છે. તેના ત્રિવિધ તાપ જેવા કે આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય છે.

જગતજનની મા અંબિકા સૌનું કલ્યાણ કરવા સર્જાયાં છે. અરે જેમણે તેમના ઉપર કાવાદાવા કર્યા તેમને પામવા ઉધામા કર્યા તે શુભ, નિશુંભ, મહિષાસુર વગેરેનો વધ કરીને અંતેે તો પોતાને હાથે જ તેમણે મોક્ષ કર્યો છે. આ જગત જનની મા અંબિકાનું જ ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘટા છે. જેનો દુર્ગાસપ્તશતિમાં પણ ઉલ્લેખ છે.

જેમ મા પોતાનાં બાળકોનું અહિત થવા દેતી નથી તેમ મા ચંદ્રઘંટા પણ તેને ભજનારાનું કદી અહિત થવા દેતી નથી. મા ચંદ્રઘંટા મહદંશે સિંહ ઉપર સવારી કરતાં જોવા મળે છે. તો ઘણી વખત પક્ષીઓમાં શ્રેષ્ઠ એવા ગરુડજી ઉપર પણ આરૂઢ થાય છે. જેમ કોઇ વખત કોઇ સ્થળે ઝડપથી જવા માટે પ્રવાસી વિમાન કે સુપર ફાસ્ટ ટ્રેનનો ઉપયોગ કરે છે તેમ મા ચંદ્રઘંટા કોઇ ભકત ઉપર ભયંકર આપદા આવી પણ હોય તો તેના જીવનમાંથી વિઘ્ન દૂર કરવા ગરુડજી ઉપર સવાર થઇને તેની વહારે દોડે છે.
જોકે મા ચંદ્રઘંટા મનોવેગી છે. તેમને વાહનની કોઇ જરૂર જ પડતી નથી. છતાં વાહનથી ઐશ્વર્ય જરૂર વધતું જતું હોય છે. ભકત પણ માની આવવાની તીવ્રતા જોઇ અડધું દુઃખ ત્યાં જ ભૂલી જાય છે અને માનાં વધામણાં કરે છે. મા ચંદ્રઘંટા જીવનમાં શીતળતા અર્પે છે. છતાં તેઓ રૌદ્રસ્વરૂપી છે. તેઓ દુર્ગામાનું સ્વરૂપ હોવા છતાં ચંદ્રઘંટા મા તરીકે ખૂબ ખ્યાતિ પામેલાં છે. મા ચંદ્રઘંટાને દસ હાથ છે. જેમના એક હાથમાં કમળ છે, બીજા હાથમાં બાણ છે, ત્રીજા હાથમાં ધનુષ્ય છે, મા ચંદ્રઘંટાનો ચોથો અને પાંચમો હાથ હંમેશાં ભકતોનાં કલ્યાણ માટે સદૈવ વરદ મુદ્રામાં જ ઊંચકાયેલો હોય છે. છઠ્ઠા હાથમાં દુષ્ટોના વિનાશ માટે ત્રિશૂળ તેમણે ધારણ કરેલું છે. તો સાતમા હાથમાં શત્રુના માથા ધડથી જુદાં કરનારી અસિ અર્થાત તલવાર છે. આઠમા હાથથી ભકતગણનું સદૈવ કલ્યાણ કરે છે. નવમા હાથમાં શંખ ધારણ કરેલ છે. તો દસમા હાથમાં તેમણે જગતને શીતળતા અર્પણ કરવા કમંડળ ધારણ કરેલ છે. આવી અદ્ભુત ક્રાંતિ ધરાવનાર દેવીનું પરમ ધ્યાન ધરનારનું સદૈવ કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે.

મા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા ચંદ્રઘંટાનું ત્રીજે નોરતે ષોડ્શોપચારે પૂજન કરનારના જીવનમાં આવતા પ્રત્યેક ધખારા શમી જાય છે. જેમ પૂનમને ચંદ્ર ઊગતાં દરેક વનસ્પતિ સહિત જગતનો દરેક જીવ ચેતનવંતો બની જાય છે. પ્રાણશકિતથી ભરપૂર બની જાય છે. તેમ મા ચંદ્રઘંટાનું પૂજન કરનાર જગતનો દરેક જીવ જીવનમાં ખૂબ શીતળતા ધારણ કરે છે.

જો કોઇ મનુષ્ય જગદંબાના આ ત્રીજા સ્વરૂપની નિત્ય ઉપાસના કરે છે તો તેના જીવનમાં સદૈવ નવરાત્રિનું ત્રીજું નોરતું ચંદ્રના જેવી શીતળતા વ્યાપી રહે છે. તેને કદી અશાંતિ કે ઉદ્વેગ સ્પર્શતો નથી, બલકે એમ કહો કે મા ચંદ્રઘંટાના સાધક પ્રત્યેક માર્ગ એકદમ શીતળ થઇ જાય છે. તેના ત્રિવિધ તાપ જેવા કે આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય છે.

જગતજનની મા અંબિકા સૌનું કલ્યાણ કરવા સર્જાયાં છે. અરે જેમણે તેમના ઉપર કાવાદાવા કર્યા તેમને પામવા ઉધામા કર્યા તે શુભ, નિશુંભ, મહિષાસુર વગેરેનો વધ કરીને અંતેે તો પોતાને હાથે જ તેમણે મોક્ષ કર્યો છે. આ જગત જનની મા અંબિકાનું જ ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘટા છે. જેનો દુર્ગાસપ્તશતિમાં પણ ઉલ્લેખ છે.

જેમ મા પોતાનાં બાળકોનું અહિત થવા દેતી નથી તેમ મા ચંદ્રઘંટા પણ તેને ભજનારાનું કદી અહિત થવા દેતી નથી. મા ચંદ્રઘંટા મહદંશે સિંહ ઉપર સવારી કરતાં જોવા મળે છે. તો ઘણી વખત પક્ષીઓમાં શ્રેષ્ઠ એવા ગરુડજી ઉપર પણ આરૂઢ થાય છે. જેમ કોઇ વખત કોઇ સ્થળે ઝડપથી જવા માટે પ્રવાસી વિમાન કે સુપર ફાસ્ટ ટ્રેનનો ઉપયોગ કરે છે તેમ મા ચંદ્રઘંટા કોઇ ભકત ઉપર ભયંકર આપદા આવી પણ હોય તો તેના જીવનમાંથી વિઘ્ન દૂર કરવા ગરુડજી ઉપર સવાર થઇને તેની વહારે દોડે છે.

જોકે મા ચંદ્રઘંટા મનોવેગી છે. તેમને વાહનની કોઇ જરૂર જ પડતી નથી. છતાં વાહનથી ઐશ્વર્ય જરૂર વધતું જતું હોય છે. ભકત પણ માની આવવાની તીવ્રતા જોઇ અડધું દુઃખ ત્યાં જ ભૂલી જાય છે અને માનાં વધામણાં કરે છે. મા ચંદ્રઘંટા જીવનમાં શીતળતા અર્પે છે. છતાં તેઓ રૌદ્રસ્વરૂપી છે. તેઓ દુર્ગામાનું સ્વરૂપ હોવા છતાં ચંદ્રઘંટા મા તરીકે ખૂબ ખ્યાતિ પામેલાં છે. મા ચંદ્રઘંટાને દસ હાથ છે. જેમના એક હાથમાં કમળ છે, બીજા હાથમાં બાણ છે, ત્રીજા હાથમાં ધનુષ્ય છે, મા ચંદ્રઘંટાનો ચોથો અને પાંચમો હાથ હંમેશાં ભકતોનાં કલ્યાણ માટે સદૈવ વરદ મુદ્રામાં જ ઊંચકાયેલો હોય છે. છઠ્ઠા હાથમાં દુષ્ટોના વિનાશ માટે ત્રિશૂળ તેમણે ધારણ કરેલું છે. તો સાતમા હાથમાં શત્રુના માથા ધડથી જુદાં કરનારી અસિ અર્થાત તલવાર છે. આઠમા હાથથી ભકતગણનું સદૈવ કલ્યાણ કરે છે. નવમા હાથમાં શંખ ધારણ કરેલ છે. તો દસમા હાથમાં તેમણે જગતને શીતળતા અર્પણ કરવા કમંડળ ધારણ કરેલ છે. આવી અદ્ભુત ક્રાંતિ ધરાવનાર દેવીનું પરમ ધ્યાન ધરનારનું સદૈવ કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

વધુ જુઓ..

નવીનતમ

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Shukrawar Na Upay: વર્ષના પહેલા શુક્રવારે કરો આ દુર્લભ ઉપાય, આખા વર્ષ દરમિયાન નહીં રહે પૈસાની કમી

આગળનો લેખ
Show comments