Biodata Maker

યૂપી- બારાબંકીમાં ભીષણ રોડ દુર્ઘટના - બસ અને ટ્રકની ટક્કરમાં 9ની મોત 27 ઈજાગ્રસ્ત

Webdunia
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (10:02 IST)
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કિસાન પથ પર દિલ્હીથી બહરાઈચ જતી બસ અને બીજી બાજુથી આવતી ટ્રક સામસામે અથડાવી. આ દુર્ઘટનામાં બસના 9 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તેમાંથી 5 ને ટ્રોમા સેન્ટર લખનઉમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
 
ગુરુવારની સવારે લગભગ સાડા પાંચ વાગ્યે, દિલ્હીથી બહરાઇચ જતી પ્રવાસી બસ દેવા કોટવાલી વિસ્તારમાં કિસાન પથ પર બાબુરી ગામ નજીક પહોંચી હતી. સામેથી આવી રહેલી એક ટ્રક અચાનક તેની સાથે બેકાબૂ રીતે અથડાઈ. ટક્કર દરમિયાન સ્પીડ એટલી વધારે હતી કે બસ અને ટ્રક ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને તહસીલ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બસ અને ટ્રકને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં રહેમાન (42) પુત્ર નિઝામુદ્દીન નિવાસી આલાપુર બારાબંકી સિવાય હજુ સુધી અન્ય કોઈ મુસાફરની ઓળખ થઈ શકી નથી. ઘટનાસ્થળે પહોંચેલા ડીએમે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોને બે લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments