Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (09:04 IST)
ગુરૂવારે રાત્રે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના બોટાપથરીમાં ભારતીય સેનાના વાહન ઉપર ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, આ ગોળીબારમાં બે સૈનિક અને બે હમાલ સહિત ચારનાં મૃત્યુ થયાં છે. સૈનિકોએ વળતો ગોળીબાર કરીને આ હુમલાનો જવાબ આપ્યો હતો.
 
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે હુમલાને 'શક્ય એટલા કડક શબ્દોમાં' વખોડી કાઢ્યો હતો અને તાજેતરમાં વધી રહેલા હુમલાઓ ઉપર ચિંતા પ્રગટ કરી હતી. આ સિવાય મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
 
રાજ્યના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ ટ્વિટ કરીને હુમલાને હીચકારું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે 'આતંકવાદીઓ'નો સફાયો કરવા માટે નિર્દેશ આપ્યા હોવાની વાત કહી હતી. આ સિવાય તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો જલ્દીથી સાજા થાય એના માટે કામના કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments