Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (09:04 IST)
ગુરૂવારે રાત્રે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના બોટાપથરીમાં ભારતીય સેનાના વાહન ઉપર ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, આ ગોળીબારમાં બે સૈનિક અને બે હમાલ સહિત ચારનાં મૃત્યુ થયાં છે. સૈનિકોએ વળતો ગોળીબાર કરીને આ હુમલાનો જવાબ આપ્યો હતો.
 
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે હુમલાને 'શક્ય એટલા કડક શબ્દોમાં' વખોડી કાઢ્યો હતો અને તાજેતરમાં વધી રહેલા હુમલાઓ ઉપર ચિંતા પ્રગટ કરી હતી. આ સિવાય મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
 
રાજ્યના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ ટ્વિટ કરીને હુમલાને હીચકારું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે 'આતંકવાદીઓ'નો સફાયો કરવા માટે નિર્દેશ આપ્યા હોવાની વાત કહી હતી. આ સિવાય તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો જલ્દીથી સાજા થાય એના માટે કામના કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

આગળનો લેખ
Show comments