Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા
, ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (16:06 IST)
Cyclone Dana- વાવાઝોડું દાના આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતા વહીવટી તંત્ર તૈયારીઓ શરૂ કરી છે. 
ઇમેજ કૅપ્શન,વાવાઝોડું દાનાના ત્રાટકવાની સંભાવનાને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે તૈયારીઓ શરૂ.
વાવાઝોડું દાના આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી છે.
 
પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોનું કહેવું છે કે વાવાઝોડું દાનાને જોતાં તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
 
દાના વાવાઝોડાને જેતાં રેલવેએ વંદે ભારત અને રાજધાની એક્સપ્રેસ સહિત 200થી વધુ ટ્રેનોનું સંચાલન મુલતવી રાખ્યું છે.
 
પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે સાવચેતીનાં પગલે દરિયાકાંઠામાં વિસ્તારોથી લગભગ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.
 
બંને રાજ્યોમાં દરિયાકાંઠાના જિલ્લાની તમામ શાળાઓને 25 ઑક્ટોબર સુધી બંધ કરવામાં આવી છે અને ડૉક્ટરો સહિત તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ