Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસ. જયશંકરે પાકિસ્તાનની પ્રશંસા કરી

Webdunia
શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (16:00 IST)
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ લખીને પાકિસ્તાનની મહેમાનગતિની પ્રશંસા કરી છે.
 
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા.
 
પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી અને પાકિસ્તાન સરકારનો તેમના આતિથ્ય માટે આભાર."
 
પાકિસ્તાન, શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશનની 23મા સંમેલનનું યજમાન હતું. એસસીઓના સભ્ય છે એ દેશોમાં ચીન, ભારત, રશિયા, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને 
 
બેલારુસનો સમાવેશ થાય છે. આ સિવાય 16 અન્ય દેશોને ઑબ્ઝર્વર અથવા ડાયલોગ પાર્ટનરનો દરજ્જો મળ્યો છે.
 
સંમેલનને સંબોધતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, "આ સંગઠનનું પ્રથમ હેતુ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવાનો છે અને હાલના સંજોગોમાં તો તે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે."
 
તેમણે એમ પણ કહ્યું હતું કે, “એસસીઓ પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જેના પર મોટા ભાગના જગતનો ભરોસો ટકેલો છે, અને એ જવાબદારી આપણે નિભાવવાની છે.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

યુપીના બહરાઈચમાં શુક્રવારની નમાજ પહેલા સુરક્ષા સઘન, બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

આગળનો લેખ
Show comments