Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી દીપાવલીની પૂર્વ સંધ્યાએ અયોધ્યાની મુલાકાત લેશે, પ્રતીકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે

Webdunia
શનિવાર, 22 ઑક્ટોબર 2022 (11:19 IST)
પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, પ્રતીકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે
 
દીપાવલીની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 પ્રધાનમંત્રી, નવા ઘાટ, સરયુ નદી ખાતે આરતીના સાક્ષી બનશે, જે પછી પ્રધાનમંત્રી દ્વારા ભવ્ય દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવશે.
 
આ વર્ષે, દીપોત્સવની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ રહી છે, અને તે પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી આ ઉજવણીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના વિવિધ નૃત્ય સ્વરૂપો સાથે પાંચ એનિમેટેડ ટેબ્લો અને અગિયાર રામલીલા ટેબ્લો પણ મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રાન્ડ મ્યુઝિકલ લેસર શો સાથે સરયુ નદીના કિનારે રામ કી પૌડી ખાતે 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી પણ બનશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments