Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં વ્હીલચૅરના અભાવે પ્રવાસીનું મૃત્યુ

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2024 (18:42 IST)
- વ્હીલચેરની અનુ ઉપલબ્ધતાની ઘટનામાં 80 વર્ષીય પેસેન્જરનું મૃત્યુ 
-મુસાફરે પ્લેનથી એરપોર્ટ ટર્મિનલ સુધી ચાલવાનું પસંદ કર્યું
-વ્હીલચેરનું પ્રી-બુકીંગ કરાવ્યું હતું
 
Mumbai Airport - મુંબઈમાં ઍરપૉર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઍર ઈન્ડિયાની ફ્લાઈટથી ન્યૂયૉર્કમાંથી મુંબઈ આવનારા 80 વર્ષના એક વૃદ્ધને વ્હીલચૅર ન મળવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.
 
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 29 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો કારણ કે 12 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરની અનુ ઉપલબ્ધતાની ઘટનામાં 80 વર્ષીય પેસેન્જરનું મૃત્યુ થયું હતું. વ્હીલચેરના અભાવે વૃદ્ધ મુસાફરે પ્લેનથી એરપોર્ટ ટર્મિનલ સુધી ચાલવાનું પસંદ કર્યું અને બેભાન થઈ ગયા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.
 
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એર ઈન્ડિયાના 80  વર્ષીય પેસેન્જરે મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરનું પ્રી-બુકીંગ કરાવ્યું હતું. જો કે, વ્હીલચેરની ભારે માંગને કારણે તેને રાહ જોવાનું કહેવામાં આવ્યું હોવાથી તેણે ચાલવાનું નક્કી કર્યું. ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન તે પડી ગયો અને બાદમાં મૃત્યુ પામ્યો.
 
એક નિવેદનમાં, એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વ્હીલચેરની ભારે માંગને કારણે, તેણે પેસેન્જરને એરલાઈન સ્ટાફ-આસિસ્ટેડ વ્હીલચેરની રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે તેના જીવનસાથી સાથે ચાલવાનું પસંદ કર્યું હતું.

Edited By-Monica Sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video - Live Concert વચ્ચે સોનૂ નિગમને અચાનક દુ:ખાવો ઉપડ્યો, તબિયત બગડતા ચીસો પાડવા માંડ્યા સિંગર, દર્દનાક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા લોકો

52 વર્ષની આ અભિનેત્રી જેણે બહેનપણીના પતિ સાથે કર્યા લગ્ન, 10 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવી, 200 કરોડનુ છે નેટવર્થ

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

વધુ જુઓ..

નવીનતમ

બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં આ મસાલા ખૂબ જ લાભકારી, આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં ચોંટેલા જીદ્દી કણ થી જશે ફ્લશ આઉટ

દાળ-ભાતના ભજીયા

ઈડીયન બિબિમ્બાપ

જો ઠંડીમાં તમારો ચહેરો કાળો દેખાય છે તો કરો આ ઉપાયો

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

આગળનો લેખ
Show comments